વર્ષ બદલાય એટલે બધું જ બદલાઇ જતું હોય છે, અને 2020નું વર્ષ એટલુ ભારે રહ્યું છે કે દરેક લોકો ઇચ્છે છે કે 2021માં સાચે જ બધુ બદલાય જાય પરંતુ કેટલાક બદલાવની જાણકારી આપણને હોવી જરૂરી છે. ભારતીય રિઝર્વ બેઁકને 1 જાન્યુઆરી 2021માં પોઝીટીવ પેમેન્ટ સિસ્ટમ શરૂ કરવાનું એલાન કર્યું છે. શું છે આ નવું સિસ્ટમ, ચાલો જાણીએ
RBIની નવી પોઝીટીવ પે સિસ્ટમ
ચેકથી પેમેન્ટ કરતા લોકો માટે ખાસ
દરેક પેમેન્ટ માટે કરવામાં આવશે ક્રોસ વેરિફાય
શું છે પોઝીટીવ પે સિસ્ટમ
સૌથી પહેલા તો એ જાણીએ કે આ પોઝીટીવ પેમેન્ટ સિસ્ટમ શું છે. આ નિયમ હેઠળ 50,000 રૂપિયાથી વધુના પેમેન્ટ માટે જરૂરી ડિટેઇલ્સને કન્ફર્મ કરવી જરૂરી થશે. ચેકથી પેમેન્ટ કરવાનો આ નવો નિયમ 1 જાન્યુઆરી 2021થી અમલમાં આવશે. ભારતીય રિઝર્વ બેઁકના ગવર્નર શક્તિકાંત દાસે પણ આ વર્ષે 6 ઓગસ્ટના રોજ આ વાતનું એલાન મોનિટરી પોલિસી કમિટીમાં કરી હતી.
આ જાણકારી કરશે ક્રોસ વેરિફાય
પોઝીટીવ પે સિસ્ટમ હેઠળ 50000 રૂપિયાથી વધારે રૂપિયા વાળા ચેક માટે ફરી એક વાર તપાસવાની જરૂર પડશે. આ સિસ્ટમમાં ચેક આપનાર વ્યક્તિને SMS, મોબાઇલ એપ, ઇન્ટરનેટ બેન્કિંગ, એટીએમ જેવા ઇલેક્ટ્રોનિક માધ્યમો દ્વારા ચેક વિશે પુછવામાં આવશે.
જેમાં તારીખ, કોને ચૅક અપાયો છે, કેટલી રકમનો ચેક છે વગેરે જેવી માહિતીઓ પુછવામાં આવશે. આ દરેક જાણકારી મેળવ્યા બાદ બેન્કને તે જાણકારી આપવામાં આવશે. જે બાદ જ કોઇ પણ પ્રકારની કાર્યવાહી થશે.
RBIના જણાવ્યા અનુસાર, આ સુવિધાનો લાભ ઉઠાવવો એ ખાતાધારક પર આધારિત હશે. જો કે બેન્ક 5 લાખ કે તેથી વધારે રૂપિયાના ચેક માટે આ વ્યવસ્થા અનિવાર્ય કરી શકે છે. કેન્દ્રીય બેન્કે કહ્યું કે આ સિસ્ટમ 2021થી લાગૂ થશે.
બેન્કોને આ બાબતે ગ્રાહકોને SMS દ્વારા જાણકારી આપીને જાગૃત કરવા માટે કહેવામાં આવ્યું છે. સાથે જ શાખાઓ સાથે વેબસાઇટ અને ઇન્ટરનેટ બેન્કિંગ આની સંપૂર્ણ માહિતી આપશે.
કેમ લાગૂ કરવામાં આવશે આ સિસ્ટમ
RBIએ ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં રાખતા પોઝીટીવ પે સિસ્ટમ લાગૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ સુવિધા પાછળનો હેતુ ચેકના ખોટા ઉપયોગને રોકવો છે. આ સિસ્ટમમાં ક્લિયરન્સમાં ઓછો સમય લાગશે. નકલી ચૅકથી રકમ વટાવવા આવેલા દરેક લોકો પર કાર્યવાહી પણ કરવામાં આવશે. આ સિસ્ટમથી ફ્રોડ ઓછો થઇ જશે.
બેઁક કરી રહી છે જાગૃત
ભારતીય રિઝર્વ બેઁકે દરેક બેઁકને આદેશ આપ્યો છે કે 2021થી લાગૂ થનાર આ નિયમને લઇને લોકોને જાગૃત કરે અને આ માહિતી જલ્દી થી જલ્દી લોકો સુધી પહોંચાડી દે.