ભારતીય રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને રાઇટ ટુ ઇન્ફોર્મેશન દ્વારા પુછવામાં આવેલા સવાલના જવાબમાં સ્વીકાર્યું હતું કે દેશમાંથી ભાગેડુ જાહેર કરાયેલા મેહુલ ચોક્સી સહિત કુલ 50 જેટલા ડિફોલ્ટરની અંદાજે 68,067 કરોડ રૂપિયાની રકમ માફ કરી દીધી હોવાનું સ્વીકાર્યું છે. જેમાં દેશના 50 વિલફુલ ડિફોલ્ટર આઇટી, મુળભુત રચના, વિજળી, સોનાના જ્વેલર્સ, ફાર્મા સહિત અર્થવ્યવસ્થાના અલગ-અલગ ક્ષેત્રો સાથે જોડાયેલા છે.
આરટીઆઇ કાર્યકર્તાએ જણાવ્યું છે કે તેણે આરટીઆઇ એટલા માટે દાખલ કરી હતી કે નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને રાજ્ય કક્ષાના મંત્રી અનુરાગ ઠાકુરે 16 ફેબ્રઆરીના રોજ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી દ્વારા પુછવામાં આવેલા પ્રશ્નનો જવાબ સંસદમાં આપવાનો ઇન્કાર કર્યો હતો.
આ આરટીઆઇનો જવાબ આપી RBI કેન્દ્રીય જનસૂચના અધિકારીએ તે કરી બતાવ્યું છે જે સરકાર ન કરી શકી. RBIએ જણાવ્યું છે કે આ રકમ અંદાજે 68,607 કરોડ રૂપિયા છે જે 30 સપ્ટેમ્બર 2019 સુધીના માફ કરી દેવામાં આવ્યાં છે.
આરટીઆઇ કાર્યકર્તા એ જણાવ્યું કે બાકી લેણાની યાદીમાં સૌથી ઉપર મેહુલ ચોકસીની કંપની ગીતાંજલિ જેમ્સ લિમિટેડનું નામ છે. આ યાદીમાં બીજા નંબર પર આઇઇઆ એગ્રો લિમિટેડ છે. જ્યારે ત્રીજા નંબર પર જતિન મહેતા છે.
After @nsitharaman refused to answer Wayanad MP @RahulGandhi's question on top 50 willful defaulters in the Lok Sabha, I'd filed an RTI asking the same question.
The RBI responded to my RTI with a list of willful defaulters (and the amount owed) as of 30th Sep, 2019.
આ શ્રેણીમાં અન્ય કંપનીઓમાં કુડોસ કીમી, પંજાબ, બાબા રામદેવ અને બાલકૃષ્ણની કંપની રૂચી સોયા ઇંડસ્ટ્રીઝલ લિમિટેડ, ઇંદોર અને જૂમ ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટિડે-ગ્વાલિયર સામેલ છે. આ સાથે અમદાવાદ સ્થિત હરીશ આર મહેતાની ફોરએવર પ્રેશિયસ જ્વેલરી એન્ડ ડાયમંડસ પ્રાઇવેટ લિમિટેડ તેમજ વિજય માલ્યાની કિંગફિશર એરલાઇન્સ લિમિટેડ જેવી પ્રમુખ કંપનીઓના નામ છે.