આરબીઆઈ (Reserve Bank of India)નાં ડેપ્યુટી ગવર્નર એમ કે જૈને દેશભરની બેંકોને મુદ્રા યોજનામાં વધી રહેલી NPA પર ચેતવણી આપી છે. દેશભરની બેંકોને મુદ્રા યોજના હેઠળ આપવામાં આવતી લોન પર સતર્ક રહેવા પણ સલાહ આપી છે. એક RTIનાં જવાબમાં આપેલી માહિતી મુજબ નાણાંકીય વર્ષ આપવામાં લોનમાં બેડ લોન ( NPA-Non Performing Asset) 126 ટકા વધીને 16,481.45 કરોડ પહોંચી ગયી છે. જ્યારે નાણાંકીય વર્ષ 2018માં તે 7277.31 કરોડ હતી. વડાપ્રધાન મોદીએ જ્યારે યોજના અમલમાં મૂકી ત્યારે તત્કાલીન ગવર્નર રઘુરામ રાજને પણ ચિંતા વ્યક્ત કરી હતી.
મુદ્રા યોજના હેઠળ આપવામાં આવતી લોન પર નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે. મુદ્રા યોજનાથી લોકોને લોન તો આપી દેવામાં આવે છે પરંતુ તે લોન બેંક વસુલી શકતી નથી જેથી ભારે નુકસાન થાય છે. હાલમાં બેન્કિંગ સેક્ટરમાં મુદ્રા યોજનાનાં લીધે NPA વધીને 3.21 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે.
રઘુરામ રાજને કેમ ચિંતા વ્યક્ત કરી હતી?
ઉલ્લેખનીય છે કે નાના અને મધ્યમ વર્ગના ઉદ્યોગો માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2015માં આ યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો પરંતુ હવે આ યોજના બેંકો માટે ભારે પડી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે. આરબીઆઈનાં તે સમયનાં તત્કાલીન ગવર્નર રઘુરામ રાજને આ યોજના સામે સરકારને ચેતવણી આપી હતી. તેમણે યોજનામાં સંપત્તિની ગુણવત્તાને લઈને સવાલ કર્યા હતા. પરંતુ સરકારે ગવર્નરની વાતને ધ્યાનમાં લીધી નહીં અને તત્કાલીન નાણામંત્રી અરુણ જેટલીએ રઘુરામ રાજનની સલાહ ફગાવી દીધી.
NPAમાં 126 ટકાનો વધારો
સિડબીના એક કાર્યક્રમમાં જૈને કહ્યું કે 'મુદ્રા એક એવી યોજના છે જેનાથી ઘણા લાભાર્થીઓને ગરીબીથી બહર નીકળવામાં મદદરૂપ થઇ છે પરંતુ તેમાં અમુક લોકો એવા પણ છે જે NPA વધારવામાં યોગદાન આપે છે જેથી ચિંતામાં વધારો થયો છે.' સરકારે જુલાઈમાં સંસદમાં જણાવ્યું હતું કે મુદ્રા યોજનામાં 3.21 લાખ કરોડની NPA છે. એક આઆટીઆઆઈનાં જવાબમાં આપેલી માહિતી મુજબ નાણાંકીય વર્ષ આપવામાં લોનમાં બેડ લોન ( NPA) 126 ટકા વધીને 16,481.45 કરોડ પહોંચી ગયી છે, જ્યારે તે નાણાંકીય વર્ષ 2018માં 7277.31 કરોડ હતી. આમ મુદ્રા યોજનાની NPA 2.52 ટકાથી વધીને 2.68 ટકા થઇ છે.