દરિયાદિલી /
RBIએ આમ જનતાને આપી મોટી રાહત, જાણો એવો તો શું લીધો નિર્ણય
Team VTV11:08 AM, 28 Feb 22
| Updated: 11:16 AM, 28 Feb 22
રુસ-યુક્રેન વિવાદ વચ્ચે ભારતીય રીઝર્વ બેંકની રેટ-સેટિંગ પેનલ ભૂ-રાજનીતિક રિસ્ક ઉપરાંત પણ દરિયાદિલી બતાવતા વ્યાજ દરોને સ્થિર બનાવી શકે છે.
RBI વ્યાજ દરોને સ્થિર રાખી શકે છે
બીજી કેન્દ્રીય બેંકો વધારી ચુકી છે વ્યાજ દર
રેટ વધવામાં લાગશે સમય
રુસ-યુક્રેન વિવાદ વચ્ચે ભારતીય રીઝર્વ બેંકની રેટ-સેટિંગ પેનલ ભૂ-રાજનીતિક રિસ્ક ઉપરાંત પણ દરિયાદિલી બતાવતા વ્યાજ દરોને સ્થિર બનાવી શકે છે. અર્થશાસ્ત્રીઓ અનુસાર, આરબીઆઈ આ વર્ષના અંત સુધી મૌદ્રિક નીતિમાં સુધાર કરી શકે છે. ફેબ્રુઆરીની શરૂઆતમાં મૌદ્રિક નીતિ સમિતિની બેઠક થઇ હતી. પરંતુ ત્યાર બાદથી જિયો પોલિટીકલ સિચુએશનમાં મોટો બદલાવ થયો છે. આરબીઆઈ દરોમાં તત્કાળ કોઈ પરિવર્તન નહિ કરે. રુસ-યુક્રેન જંગે પૂરી દુનિયાનાં વૈશ્વિક તથા ઘરેલું બજારોમાં ભૂકંપ લાવી દીધો છે. આ વચ્ચે બ્રેંટ ક્રુડ 100 ડોલર પ્રતિ બેરલ પહોંચ્યું, જેથી મુદ્રાસ્ફીતિની આશંકા વધી ગઈ.
કેન્દ્રીય બેંક વધારી ચુકી વ્યાજ દર
ભારતમાં મૌદ્રિક નીતિ પેનલે ફેબ્રુઆરીની બેઠકમાં નીતિગત દરોમાં કોઈ પરિવર્તન નથી કર્યું જ્યારે આ વચ્ચે વૈશ્વિક કેન્દ્રીય બેંકોએ કોરોના મહામારી બાદ મુદ્રાસ્ફીતિનો મુકાબલો કરવા માટે વ્યાજ દર વધાર્યા છે. 0-પરંતુ આરબીઆઈની નીતિ બાકી દેશોના કેન્દ્રીય બેંકોથી ઘણી અલગ છે. આરબીઆઈ ગવર્નર શક્તિકાન્ત દાસે એમપીસીની બેઠકમાં કહ્યું હતું કે આગલા વિત્ત વર્ષમાં મુદ્રાસ્ફીતિનાં શાંત થવાની આશા છે, એટલા માટે મૌદ્રિક નીતિમાં સમાયોજનની જરૂર રહેશે.
રેટ વધારવામાં લાગશે સમય
આરબીઆઈ આગળ;આ છ મહિનાઓમાં પોલિસી કોરિડોરને સામાન્ય કરવાનો વિકલ્પ પસંદ કરી શકે છે. આશા છે કે રેપો દરમાં વધારો કેવળ Q3 2022- ઓગસ્ટની બેઠકથી શરુ થશે તથા હજુ પણ સમય લાગી શકે છે. એમકે ગ્લોબલ ફાઈનાન્સિયલ સર્વિસીઝ અનુસાર, પોલિસી નિર્માતા વ્યાજ દરનાં માધ્યમથી તરત જ રિએક્શન આપી શકતા નથી. એમપીસીની બેઠકમાં આરબીઆઈએ ઠોસ નીતિના સંકેત આપ્યા. આરબીઆઈ ઉદારતા બતાવતા રેપો દરમાં વધારામાં સમય લગાવી શકે છે. અસલમાં, રુસ-યુક્રેન વિવાદથી ઉત્પન્ન થયેલ ગ્લોબલ ઘાટાએ શેર બજારને ડગમગાવી દીધી છે.