ડિજિટલ કરન્સીના સર્ક્યુલેશન પર RBIનું રહેશે નિયંત્રણ
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ આ મહિનાની શરૂઆતમાં જાહેરાત કરી હતી કે તે ટૂંક સમયમાં ખાસ ઉપયોગ માટે ડિજિટલ રૂપિયોનું લોન્ચિંગ કરશે. હવે આની શરૂઆત નવેમ્બરથી શરૂ થશે. હવેથી આરબીઆઈની પોતાની ડિજિટલ કરેંન્સી હકીકત થવાની છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ 1 નવેમ્બરથી હોલસેલ ટ્રાંજેક્સન માટે ડિજિટલ રૂપિયાની શરૂઆત થશે. અત્યારે તો પ્રોજેક્ટ પ્રોજેકટના રૂપમાં શરૂ થશે.
Operationalisation of Central Bank Digital Currency-Wholesale (e₹-W) Pilothttps://t.co/wsvGUOlErT
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, આનાથી ભારતની ડિજિટલ અર્થવ્યવસ્થા મજબૂત બનશે, પેમેન્ટ સિસ્ટમને વધુ કાર્યક્ષમ બનાવવામાં અને મની લોન્ડરિંગને રોકવામાં મદદ મળશે. ડિજિટલ ચલણનો ઉપયોગ સરકારી સિક્યોરિટીઝના સેટલમેન્ટ માટે કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં ભાગ લેવા માટે 9 બેંકોની સમાવેશ કરવામાં આવશે. જેમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI),બેંક ઓફ બરોડા (BoB), યુનિયન બેંક, HDFC બેંક, ICICI બેંક, કોટક મહિન્દ્રા બેંક, IDFC ફર્સ્ટ બેંક અને HSBC બેંકનો સમાવેશ કરવામાં આવશે.
ડિજિટલ કરન્સીના ફાયદા
દેશમાં આરબીઆઈની ડિજિટલ કરન્સી આવ્યા પછી તમારે તમારી પાસે રોકડ પૈસા રાખવાની જરૂર રહેશે નહીં. જેને તમે તમારા મોબાઈલમાં પણ રાખી શકો છે. તમે તેને તમારા મોબાઈલ વોલેટમાં રાખી શકશો અને આ ડિજિટલ કરન્સીના સર્ક્યુલેશન પર રિઝર્વ બેંકનું સંપૂર્ણ નિયંત્રણ રહેશે. ડિડિજિટલ ચલણથી સરકારની સાથે સામાન્ય લોકો અને વેપારીઓને માટેના વ્યવહારોની ખર્ચમાં ઘટાડો થશે. અગાઉ RBIએ આ બબાતે જાણકારી આપતા જણાવ્યું હતું કે, કેન્દ્રીય બેંક ડિજિટલના ઉદેશ્ય મુદ્રા સીબીડીસીના ઉદેશ્ય મુદ્રાના રૂપને બદલવા કરતા ડિજિટલ મુદ્રાનો પૂરક બનાવે છે અને વપરાશકર્તાઓને ચુકવણી માટે વધારાનો વિકલ્પ આપે છે કોઈપણ રીતે હાલની ચુકવણી પ્રણાલીઓને બદલવાનો હેતુ નથી. એટલે કે, તે તમારા વ્યવહારો પર કોઈ અસર કરશે નહીં. તે કોઈપણ રીતે હાલની ચુકવણી પ્રણાલીઓને બદલવાનો હેતુ નથી. એટલે કે, તે તમારા વ્યવહારો પર કોઈ અસર પડશે નહીં.
સામાન્ય બજેટમાં થઈ હતી જાહેરાત
તમને જણાવી દઈએ કે, CBDC એ કેન્દ્રીય બેંક દ્વારા જારી કરાયેલ ચલણી નોટોનું ડિજિટલ સ્વરૂપ છે. વિશ્વભરની મોટાભાગની કેન્દ્રીય બેંકો હાલમાં CBDC જારી કરવાની રીતો શોધી રહી છે અને વિશિષ્ટ આવશ્યકતાઓ અનુસાર અલગ-અલગ દેશમાં રિલીઝની પદ્ધતિ છે. જણાવી દઈએ કે ભારત સરકારે સામાન્ય બજેટમાં નાણાકીય વર્ષ 2022-23થી ડિજિટલ રૂપિયો લાવવાની જાહેરાત કરી હતી. તાજેતરમાં, ભારતીય રિઝર્વ બેંકના ચીફ જનરલ મેનેજર યોગેશ દયાલે આ સંદર્ભમાં માહિતી આપતાં જણાવ્યું હતું કે જેમ જેમ પાયલોટ પ્રોજેક્ટનો વ્યાપ વધતો જશે. આરબીઆઈથી જોડાયેલા ફિચર્સ અને ફાયદાઓ ઘણા બધા છે. રિઝર્વ બેંકના દ્વારા લોકો વચ્ચે સેંન્ટ્રલ બેંક ડિઝિટલ કરન્સી બાબતે જાગૃતતાનો કોન્સેપ્ટ નોટ બદાર પાડવામાં આવી છે. ડિઝિટલ કરન્સી આ ઉકોનોમીકનો આગળનું પગલું છે. જેમ મોબાઈલ વોલેટથી સેંકડો ટ્રોજેક્શન થાય છે તે જ રીતે ડિજિટલ રૂપીથી કામ થશે. આનાથી કેસની ઝંઝટમાંથી છુટકારો મળશે જેનું સાકારાત્મ અસર અર્થવ્યવસ્થા પડશે.