દેશમાં એટીએમ ટ્રાન્ઝેક્શન સાથે સંકળાયેલ છેતરપિંડીના કેસ સતત વધી રહ્યા છે. આ બાબતને ધ્યાને રાખીને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ એટીએમ ટ્રાન્ઝક્શનને વધુ સુરક્ષિત કરવા નવી ગાઇડલાઇન્સની જાહેરાત કરી છે.
આરબીઆઇએ એટીએમ ટ્રાન્ઝેકશનને વધુ સુરક્ષિત કરવા ગાઇડલાઇન્સની જાહેરાત કરી
પોતાની દ્વિમાસિક સ્ટેટમેન્ટ ઓન ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેટરી પોલિસીમાં રિઝર્વ બેન્કે જણાવ્યું હતું કે કેટલીક બેન્ક એટીએમ સંલગ્ન સેવાઓ માટે થર્ડ પાર્ટી સર્વિસ પ્રોવાઇડર પર નિર્ભર હોય છે.
આ સર્વિસ પ્રોવાઇડર પર સાયબર એટેકનો ખતરો હોય છે અને તેઓ પેમેન્ટ સિસ્ટમ સાથે પણ સંકળાયેલ હોય છે.
એટલા માટે આરબીઆઇએ હવે એવો નિર્ણય કર્યો છે કે બેન્કો અને અન્ય રેગ્યુલેટેડ યુનિટ્સ માટે થર્ડ પાર્ટી સર્વિસ પ્રોવાઇડરની સાથે પોતાના એગ્રીમેન્ટમાં સાયબર કંટ્રોલને લગતી કેટલીક ફરજિયાત શરતો અને બાબતોને પણ સામેલ કરે.
આરબીઆઇએ જણાવ્યું છે કે ફરજિયાત ગાઇડલાઇન્સથી સર્વિસ પ્રોવાઇડર માટે સાયબર સુરક્ષાનાં પગલાં લેવાનું ફરજિયાત બની જશે. તેમણે પોતાના એપ્લિકેશન્સ સોફ્ટવેરમાં આ માટે કેટલાક ફેરફાર કરવા પડશે અને સતત વોચ રાખવી પડશે.