RBIએ એલાન કરી દીધુ કે ઓફલાઈન પેમેન્ટની વ્યવસ્થાને આખા દેશમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.
RBIના ગવર્નર શક્તિકાંત દાશે કરી જાહેરાત
ઓફલાઈન મોડમાં રિટેલ ડિજિટલ પેમેન્ટ માટે ફ્રેમવર્ક લોન્ચનો પ્રસ્તાવ
જાણો સંપૂર્ણ વિગત
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાશે શુક્રવારે એમપીસી એટલે મૌદ્રિક નીતિ સમિતિની બેઠકમાં થયેલા નિર્ણયની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે RBIએ દેશભરમાં ઓફલાઈન મોડમાં રિટેલ ડિજિટલ પેમેન્ટ માટે ફ્રેમવર્ક લોન્ચ કરવાનો પ્રસ્તાવ મુક્યો છે.
ઈન્ટરનેટ કનેક્શનમાં મુશ્કેલી આવવા પર ચુકવણી કપવામાં મળશે મદદ
RBIએ એલાન કર્યું છે કે ઓફલાઈન પેમેન્ટની વ્યવસ્થાને આખા દેશમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. એલાન અનુસાર જે ગ્રાહકોને ઈન્ટરનેટ કનેક્ટિવિટીમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. તેનાથી તે ઓનલાઈન મોડ જેવી UPI, IMPS, RTGS વગેરેનો ઉપયોગ કરીને ચુકવણી ન હતી કરી શકતા. તે હવે ઓફલાઈન પેમેન્ટની વ્યવસ્થામાં પેમેન્ટ કરવા માટે તેનો ઉપયોગ કરી શકશે.
નિવેદન અનુસાર, ડેવલોપમેન્ટ એન્ડ રેગ્યુલેટરી પોલિસીઝ પર 6 ઓગસ્ટ 2020ની તારીખ વાળા નિવેદનમાં આ સ્કીમની જાહેરાત કરવામાં આવી હતી. તેમાં ઈનોવેટિવ ટેક્નોલોજીના પાયલેટ ટેસ્ટ કરવામાં આવવાના હતા. જેમાં એવી સ્થિતિઓમાં રિટેલ ડિજિટલ પેમેન્ટ્સ કરી શકાય છે જ્યાં ઈન્ટરનેટ કનેક્ટિવિટી ઓછી હોય અથવા તો ઉપલબ્ધ જ ન હોય. સ્કીમ હેઠળ દેશના અલગ અલગ ભાગમાં સપ્ટેમ્બર 2020થી જૂન 2021ના સમયગાળા વખતે પાયલટને સફળતાપૂર્વક ચલાવવામાં આવ્યું. તેમાં જાણકારી મળી કે આવા સોલ્યુશન્સને ખાસકરી દુરના વિસ્તારમાં લોન્ચ કરી શકાય છે. પાયલટ અને સારા ફિડબેકથી મળેલા અનુભવને જોવા તેને દેશભરમાં ઓફલાઈન મોડમાં રિટેલ ડિજિટલ પેમેન્ટ્સ કરવા માટે ફ્રેમવર્ક લોન્ચ કરવાનો પ્રસ્તાવ કર્યો છે.
પાયલેટ સ્કીમમાં 2,000 રૂપિયા હતી કુલ લિમિટ
ઓફલાઈન મોડમાં સ્મોલ વેલ્યુ રિટેલ ટ્રાન્ઝેક્શન્સ માટે પાયલેટ સ્કીમને કાર્ડ્સ અને મોબાઈલ વોલેટ્સનો ઉપયોગ કરીને કરવામાં આવ્યો હતો.
પાયલેટ સ્કીમની ગાઈડલાઈન્સ અનુસાર, પેમેન્ટ ટ્રાન્ઝેક્શનની સીમા 200 રૂપિયા હતી અને ઓફલાઈન ટ્રાન્ઝેક્શનની કુલ સીમા કોઈ પણ સમય પર 2,000 રૂપિયા રાખવામાં આવી હતી. આ ઉપરાંત આવા પેમેન્ટ ટ્રાન્ઝેક્શન વગર એડિશનલ ફેક્ટર ઓફ ઓથેન્ટિકેશન કરવામાં આવ્યું હતું.