આરબીઆઈ (RBI) એ રેપો રેટમાં 0.40 ટકાનો વધારો કર્યો છે. આ સાથે જ રેપો રેટ વધીને 4.40 ટકા થઈ ગયો છે. આથી સામાન્ય લોકોએ લોન લેવી મોંઘી થઇ જશે.
RBIએ આપ્યો મોટો ઝટકો
રેપો રેટ વધારીને 4.40 ટકા કર્યો
સામાન્ય માણસને લોન લેવી થઇ જશે મોંઘી
RBIએ રેપો રેટમાં 0.40 ટકાનો વધારો કરી તેને 4.40 ટકા કરી દેવાયો છે, જેના કારણે બેન્કો સહિત સામાન્ય લોકોને હવે લોન લેવી મોંઘી થઇ જશે. એક તરફ દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવથી લોકો પરેશાન છે એવામાં મોંઘવારીમાં જનતાને વધુ એક ઝટકો લાગ્યો છે. RBI ગવર્નર શક્તિકાંત દાસે મહત્વની જાહેરાત કરતા જણાવ્યું કે, 'રેપો રેટ 0.40 ટકા વધારીને 4.40 ટકા કરી દેવાયો છે. આ સાથે CRR પણ 0.5 ટકા વધારીને 4.50 ટકા કરવામાં આવ્યો હતો.'
RBI hikes benchmark interest rate by 40 bps to 4.40 pc in an unscheduled policy review with a view to contain inflation
RBIએ જૂન 6-8 મોનેટરી પોલિસી પહેલાં દરમાં વધારો કર્યો
તમને જણાવી દઈએ કે, RBIની મોનેટરી પોલિસી રિવ્યુ એટલે કે MPCની બેઠક 6-8 જૂનના રોજ યોજાવાની હતી, પરંતુ એ પહેલાં જ વૈશ્વિક પરિસ્થિતિઓને જોતા RBIએ આજે રેપો રેટમાં 0.40 ટકાનો વધારો કર્યો છે. અગાઉ, 6-8 એપ્રિલના રોજ MPCની બેઠકમાં વ્યાજ દરમાં કોઈ જ વધારો કરવામાં ન હતો આવ્યો. ક્રેડિટ સાઈકલમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.
જાણો Repo Rate વધવાથી શું થાય ?
રેપો રેટ વધવાથી સામાન્ય માણસ પર અસર થશે
હોમ લોન અને બીજી કોઇ લોન મોંઘી થશે
લોન મોંઘી થવાથી સામાન્ય માણસ પર ભારણ વધશે
માસિક ઇએમઆઇમાં 0.30થી 0.50 ટકા જેટલો વધારો થઇ શકે
એક લાખની લોન હોય તો વર્ષે 300થી 500 રૂપિયા વધી શકે છે
બેંક પોતાનો રેટ વધારે તો વધારે પણ નાણા વધી શકે છે
તમારી 20 લાખની લોન હોય તો વર્ષે રૂ 1000 કે તેવી વધારે વધી શકે
દરેક જગ્યાએ બેંકના રેટ અલગ અલગ વધી શકે છે
વૈશ્વિક આર્થિક ગતિવિધિમાં મંદી આવી છે જેની અસર ભારતીય બજારો પર પણ
RBIના ગવર્નર શક્તિકાંત દાસે મહત્વનું નિવેદન આપતા જણાવ્યું છે કે, 'વૈશ્વિક આર્થિક ગતિવિધિ અને ગતિમાં મંદી આવી છે અને તેની અસર ભારતીય બજારો પર પણ જોવા મળી રહી છે. દેશમાં સતત મોંઘવારીનું દબાણ વધી રહ્યું છે. કોમોડિટી માર્કેટમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. નાણાકીય નીતિ અંગેની રૂલ બુક મુજબ કામ પણ નથી થતું.'
RBI ગવર્નર શક્તિકાંત દાસે બપોરે 2 વાગ્યે નિવેદન જાહેર કર્યાના સમાચાર મળતાની સાથે જ શેરબજારમાં મોટો ઘટાડો થયો હતો. બોન્ડ માર્કેટ સહિત ઈક્વિટી માર્કેટમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો હતો. RBI ગવર્નરનું નિવેદન જાહેર થતાં જ આજે નાણાકીય જગતમાં ખળભળાટ મચી ગયો.
ગયા મહિને જ યોજાઈ હતી MPCની બેઠક
ઉલ્લેખનીય છે કે, અગાઉ 8 એપ્રિલના રોજ નાણાકીય વર્ષ 2022-23 (FY23) માટે રિઝર્વ બેંક (RBI) ની પ્રથમ નાણાકીય નીતિ (MPC) સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ સાથે રિઝર્વ બેંકે સતત 11મી બેઠકમાં રેપો રેટ અને રિવર્સ રેપો રેટ જૂના સ્તરે યથાવત રાખ્યા હતા. પરંતુ બદલાવનો સંકેત પણ આપવામાં આવ્યો હતો. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે, મોંઘવારીથી કોઈ મોટું જોખમ નથી, કેન્દ્રીય બેંકનું ધ્યાન આર્થિક વૃદ્ધિ પર છે.