રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ગુરુવારે કહ્યું છે કે કોરોના વાયરસની મહામારીની અસર દેશના ભવિષ્ય પર લાંબા સમય સુધી દેખાતી રહેશે અને લૉકડાઉનની અસર સીધી દેશની આર્થિક ગતિવિધિઓ પર પડશે.
કોરોના વાયરસની મહામારીની અસર દેશના ભવિષ્ય પર લાંબા સમય સુધી દેખાશે : RBI
કોરોના વાયરસ મહામારીથી વૈશ્વિક ઉત્પાદન, સપ્લાઇ, વ્યાપાર અને પર્યટન પર વિપરીત અસર પડશે
એક અનુમાન અનુસાર કોરોના વાયરસ (Coronavirus)ની મહામારીને કારણે વૈશ્વિક ઉત્પાદન, સપ્લાઇ, વ્યાપાર અને પર્યટન પર વિપરીત અસર પડશે. કેન્દ્રીય બેન્કે પોતાની નાણાકીય નીતિ રિપોર્ટમાં આમ વાત કહી છે. આરબીઆઇની આ રિપોર્ટ એવા સમયે આવી છે જ્યારે કોરોના વાયરસની મહામારીને કારણે દેશમાં લાગૂ કરવામાં આવેલું 21 દિવસનું લૉકડાઉન 16માં દિવસે પ્રવેશ કરી ચૂક્યું છે. કોરોના વાયરસને કારણે આર્થિક ગતિવિધિઓ ઠપ છે. પહેલાથી જ મંદીનો સામનો કરી રહેલી અર્થવ્યવસ્થા પર તેની વધુ અસર પડશે.
આરબીઆઇએ કહ્યું છે કે કોરોના વાયરસના પ્રકોપે દેશની અર્થવ્યવસ્થામાં રિકવરીની સંભાવનાઓને ખરાબ રીતે પ્રભાવિત કરી છે. કોરોના વાયરસના સંક્રમણ ફેલાયા પહેલા, 2020-21ને ગ્રોથના દ્રષ્ટિકોણથી જોવામાં આવી રહ્યું હતું પરંતુ કોરોના વાયરસની મહામારીએ આ ધારણાને બદલી નાંખી છે.
આરબીઆઇએ કહ્યું છે કે તે આ વાયરસની તીવ્રતા, પ્રસાર અને તેના સંક્રમણનો સમયગાળોને લઇને સ્થિતિનું આકલન કરી રહી છે. કોરોના વાયરસના કારણે લાગૂ કરવામાં આવેલ લૉકડાઉન અને વૈશ્વિક ગતિવિધિઓમાં આવેલી મંદી નિશ્ચિત રૂપે દેશના આર્થિક વિકાસ દર પર ભારે પડવાની છે.
આરબીઆઇએ કહ્યું કે કોરોના વાયરસની મહામારી મોંઘવારીને પ્રભાવિત કરશે. પૂરવઠાના અવરોધને પગલે ખાદ્ય પદાર્થોની કિંમતોમાં ઘટાડો આવી શકે છે જ્યારે બિન ખાદ્ય પદાર્થોની કિંમતો વધવાની સંભાવનાથી ઇનકાર ન કરી શકાય. કોરોના વાયરસની મહામારીને પગલે ઘણા અર્થશાસ્ત્રીઓએ દુનિયાભરમાં પૂરવઠોમાં અવરોધ ઉભા થવાની ચેતવણી આપી છે.
નોંધનીય છે કે દેશમાં કોરોના વાયરસથી પ્રભાવિતોની સંખ્યા વધતી જઇ રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર, દેશમાં ગુરુવારે કોરોના વાયરસના સંક્રમણના કેસની સંખ્યા વધીને 5734 થઇ ગઇ છે. જ્યારે 166 લોકોના મોત થયા છે અને 473 લોકો બીમારીથી સ્વસ્થ્ય થયા છે.