જો બૅન્ક શાખામાં ત્યાંનો સ્ટાફ તમારું કામ મુલતવી રાખે છે અથવા તમને અહીં-ત્યાં મોકલે છે, તો તમારે આ સમાચાર જરૂર વાંચો. આવો જાણીએ આરબીઆઈની ગાઈડલાઈન્સ.
બૅન્કનો કર્મચારી ગ્રાહકનું કામ ટાળી ન શકે
RBIએ કહ્યું કોઇપણ બૅન્ક કે કર્મચારીની ફરિયાદ કરી શકો છો
ઓનલાઇન કે ઓફલાઈન બન્નેમાં ફરિયાદ કરી શકો છો
ઘણી વખત બૅન્કને લગતા કામ માટે બૅન્કની શાખામાં જવું પડે છે. ઘણી વખત બેન્કમાં જાય ત્યારે કર્મચારીઓ લંચ પછી આવવાનું કહે છે, ઘણી વખત લંચ પછી પણ કલાકો સુધી રાહ જોવી પડે છે. જો તમારી સાથે ક્યારેય આવું થયું હોય, તો આ વાંચી લો. હવે જો બેન્કનો સ્ટાફ તમને તમારા કામ માટે અહીંથી ત્યાં મોકલે તો તમે તરત જ આ અંગે ફરિયાદ કરી જવાબદારો સામે પગલાં લઈ શકો છો. આરબીઆઈએ આ માટે નિયમો પણ બનાવ્યા છે.
કામ ટાળવાનો પ્રયાસ
ઘણી વખત કર્મચારીઓ કામ ટાળવાનો પ્રયાસ કરે છે. પરંતુ આ ત્યારે જ થઈ શકે છે જ્યારે તમે તમારા અધિકારો વિશે જાગૃત ન હોવ. ગ્રાહકો પાસે બેંકિંગ સેવાઓ સાથે જોડાયેલા કેટલાક અધિકારો મળેલ છે, જેના કારણે તમે તેનો લાભ લઈ શકતા નથી. બેન્કમાં ગ્રાહકોને એવા ઘણા રાઈટ્સ મળે છે જેના વિશે ગ્રાહકોને જાણ હોતી નથી અને પછી બેન્કરો તેનો ફાયદો ઉઠાવે છે. ગ્રાહકો સાથે બેન્કોને યોગ્ય વર્તન કરવું જરૂરી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નિયમ મુજબ જો ગ્રાહકો સાથે યોગ્ય વ્યવહાર કરવામાં ન આવે તો તમે બેંકિંગ લોકપાલને ફરિયાદ કરી શકો છો અને તમારી સમસ્યાનું સમાધાન શોધી શકો છો. આવો જાણીએ આ અધિકારો વિશે.
બૅન્કના ગ્રાહકો પાસે ઘણા અધિકારો
- જો કોઇ બૅન્ક કર્મચારી તમારું કામ કરવામાં મોડુ કરે છે અથવા ટાળવાની કોશિશ કરે છે તો તમે તે બૅન્કના બૅન્ક મેનેજર અથવા નોડલ ઓફિસરને ફરિયાદ કરી શકો છો.
- લગભગ દરેક બૅન્કમાં ગ્રાહકોની ફરિયાદોને પહોંચી વળવા માટે ફરિયાદ નિવારણ ફોરમ હોય છે, જ્યાં તમે તમારી ફરિયાદોનું નિરાકરણ લાવી શકો છો.
ક્યાં ફરિયાદ કરવી?
તમે જે પણ બૅન્કના ગ્રાહક હોય, તમે તે બૅન્કનો ફરિયાદ નિવારણ નંબર લઈ શકો છો અને સંબંધિત કર્મચારીને ફરિયાદ કરી શકો છો. આ સિવાય તમે બૅન્કના ટોલ ફ્રી નંબર પર કોલ કરીને પણ તમારી સમસ્યા જણાવી શકો છો. કેટલીક બૅન્ક ઓનલાઇન ફરિયાદ દાખલ કરવાની સુવિધા પણ આપે છે. જેમ કે સ્ટેટ બૅન્ક ઓફ ઇન્ડિયા (SBI)ના ગ્રાહકો ટોલ ફ્રી નંબર 1800-425-3800/1800-1111-2211 પર કોઇપણ શાખાના કર્મચારીની ફરિયાદ કરી શકે છે. સાથે જ જો તમે બીજી કોઈ બેંકના ગ્રાહક છો તો તમે બૅન્કના કસ્ટમર કેર નંબર અથવા એપેલેટ ઓથોરિટીનો સંપર્ક કરી શકો છો.
બેન્કિંગ લોકપાલને ફરિયાદ કરો
- આ ઉપરાંત જો તમે બૅન્ક કર્મચારીની ફરિયાદ બેંકિંગ લોકપાલમાં દાખલ કરવા માંગો છો તો તમે કોલ કરીને અથવા ઓનલાઇન તમારી ફરિયાદ નોંધાવી શકો છો.
- આ માટે તમે ડિપાર્ટમેન્ટની વેબસાઇટ https://cms.rbi.org.in લોગઇન કરો.
- ત્યાં File A Complaint જાઓ.
- અથવા તો [email protected] પર મેઇલ મોકલીને પણ તમારી સમસ્યા મોકલી શકો છો.
- બેંકના ગ્રાહકોની ફરિયાદોના નિવારણ માટે ટોલ ફ્રી નંબર 14448 છે, જેના પર ફોન કરીને પણ ગ્રાહકો ફરિયાદ કરી શકે છે.