ધનલક્ષ્મી બેંકેમાં કૌભાંડની આશંકા વચ્ચે ઓલ ઇંડિયા બેંક એમ્પલોઇઝ એસોસિયેશને રિઝર્વ બેંકને દખલગીરી કરવા માંગ કરવામાં આવી છે. AIBEA દ્વારા RBIને ધનલક્ષ્મી બેંકના વિસ્તારના મામલામાં દખલ દેવા માટે જણાવામાં આવ્યું છે.
AIBEAના જનરલ સેક્રેટરી સીએચ વેંકટચલમે કહ્યું કે છેલ્લા કેટલાંક મહીનામાં ધનલક્ષ્મી બેંકનું ટોપ મેનેજમેન્ટ બદલી નાંખવામાં આવ્યું છે. તેમણે આરોપ લગાવ્યો છે કે બેંકને ફરી ખોટા રસ્તા લઇ જવામાં આવી રહી છે.
વેંકટચલમે કહ્યું કે ધનલક્ષ્મી બેંક વધારે બ્રાંચ ખોલવા, મોટી સંખ્યામાં સેલ્સ એક્ઝુક્યુટિવ અને સીનિયર એક્ઝુક્યૂટિવ નિમણૂંક કરવાની તૈયારી કરી રહ્યું છે. AIBEA એ કહ્યું કે અમને જાણકારી મળી છે ઉત્તર ભારતના રાજ્યોમાં બેંક વધુ બ્રાંચ ખોલવાની તૈયારી કરી રહ્યું છે. જ્યારે આ રાજ્યોમાં બિઝનેસ કરવા માટે બેંક પાસે ઇન્ફ્રાસ્ટ્રકચર નથી. હાલની પરિસ્થિતિમાં બેંકની કમાણી કરતા ખર્ચ વધારે છે, અને આ ખર્ચને ઘટાડવાની જરૂરિયાત છે.
AIBEAએ ચેતાવણી આપતા કહ્યું કે મોટી સંખ્યામાં સેલ્સ એક્ઝુક્યૂટિવ સીનિયર એક્ઝુક્યૂટિવની નિમણૂંક અને વધારો ખર્ચ બેંક પર નાણાંકીય મુશ્કેલીમાં વધારો કરી શકે છે. હાલમાં ધનલક્ષ્મી બેંકની ક્ષમતા આ નાણાકીય વધુ ખર્ચ ઉઠાવી શકે તેમ નથી.
જેના કારણે લેંડર્સને મુશ્કેલીનો સામનો કરવી પડી શકે છે. AIBEAએ આગળ કહ્યું કે આ પહેલા ઉત્તરી રાજ્યોમાં બેક દ્વારા મોટી સંખ્યામાં બ્રાંચ ખોલવામાં આવી હતી, પરંતુ ખોટું સંચાલન અને દેખરેખના કારણે બેંકને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.
AIBEA અનુસાર 2008થી 2012 સુધી ધનલક્ષ્મી બેંકને વિપરીત પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો હતો અને તેનું નુકસાન સતત વધતું ગયું. ત્યારબાદ RBIએ આ તેના નિર્ણયોનું રિવ્યુ કરી ધનલક્ષ્મી બેંકની કેટલીક બ્રાંચો બંધ કરી હતી. AIBEAના જનરલ સેક્રેટરી વેંકટચલમે એમ પણ કહ્યું કે RBIએ ધનલક્ષ્મી બેંકના નિર્ણયની સમીક્ષા કરવી જોઇએ.