ભારતીય રિઝર્વ બેંકે મહારાષ્ટ્રના નાસિક સ્થિત ઈન્ડિપેન્ડેન્સ કો ઓપરેટિવ બેંક લિ.માંથી પૈસા ઉપાડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આરબીઆઈએ બુધવારે એક નિવેદનમાં કહ્યું કે હાલમાં બેંકના 99.88 ટકા જમાકર્તા પૂર્ણ રીતે ડિપોજિટ ઈન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન વીમા યોજનાના દાયરામાં છે.
RBIએ બીજા પણ કેટલાક પ્રતિબંધ લગાવ્યા છે
પ્રતિબંધ છ મહિના માટે છે
આ પરિસ્થિતિના હિસાબથી નિર્દેશોમાં સંશોધન થઈ શકે છે
પ્રતિબંધ છ મહિના માટે છે
ઉપાડ પર પ્રતિબંધ 6 મહિના માટે રહેશે. આરબીઆઈએ કહ્યું કે બેંકમાં હાજર રોકડની સ્થિતિને જોતા જમાકર્તાઓની બચત અથવા ચાલૂ ખાતા અથવા અન્ય કોઈ ખાતામાં જમા રકમમાંથી કોઈ પણ રકમ કાઢવાની પરવાનગી નથી. ગ્રાહકો જમાના કલાકોમાં લોન ચૂકવણી કરી શકો છો જે કેટલીક શરતો પર નિર્ભર છે.
RBIએ બીજા પણ કેટલાક પ્રતિબંધ લગાવ્યા છે
RBIએ બુધવારે કારોબારી સમાપ્ત થયા બાદ બીજા પણ કેટલાક પ્રતિબંધ લગાવ્યા છે. આ અંતર્ગત બેંક મુખ્ય કાર્યવાલક અધિકારી, RBIના પૂર્વ મંજૂરી વગર કોઈ પણ દેવુ નહીં આપે અથવા નવીનીકરણ નહીં કરે. આ ઉપરાંત તે કોઈ રોકાણ પણ નહીં કરી શકે અને ન કોઈને ચૂકવણી કરી શકશે.
બૈંકિંગ વ્યવસાય પહેલાની જેમ કરતું રહેશે
આ પરિસ્થિતિના હિસાબથી નિર્દેશોમાં સંશોધન થઈ શકે છે
આરબીઆઈના અનુસાર બેંક પ્રતિબંધોની સાથે પોતાના બેકિંગ કારોબાર પહેલાની જેમ કરતી રહેશે. આ પ્રતિબંધ નાણાની સ્થિતિમાં સુધારો નક્કી કરશે. કેન્દ્રીય બેંકે એમ પણ કહ્યું કે આ પરિસ્થિતિના હિસાબથી નિર્દેશોમાં સંશોધન કરી શકે છે.
શું છે ડીઆઈસીજીસી
બૈંકોમાં 5 લાખ રુપિયા સુધીની જમા સુરક્ષિત રહેવાની ગેરંટી ડિપોર્જિટ ઈન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન તરફથી હોય છે. ડીઆઈસીજીસી, ભારતીય રિઝર્વ બેંકના સ્વામિત્વવાળી સબ્સિડિયરી છે, જે બેંકમાં જમા પર ઈન્શ્યોકન્સ કવર ઉપલબ્ધ કરાવે છે. 5 લાખના ડિપોર્જિટ વીમાની જોગવાઈ મુજબ બેંકના દિવાળીયા થવાથી તેમના લાઈસન્સ રદ્દ થવા પર 5 લાખ રુપિયા સુધી ધનરાશિની ચૂકવણી જમાકર્તાને કરી શકાય છે. ચાહે પછી બેંકમાં તેના કેટલાય પૈસા જમા કેમ ન હોય.