જો કોઈ કુદરતી આફતના કારણે બેન્ક લોકરમાં મુકવામાં આવેલા સામાનને નુકસાન પહોંચે તો તેની જવાબદારી ગ્રાહકની રહેશે.
બેન્ક લોકરને નુકસાન થશે તો બેન્કની જવાબદારી
બેન્ક ભાડાની 100 ગણી રકમ આપવી પડશે
જાણો RBIએ શું કરી જાહેરાત
બેન્કના લોકરમાં મુકેલા ઘરેણા અને અન્ય કિંમતી સામાનની ચોરી થવા પર હવે બેન્કે વળતર આપવું પડશે. પરંતુ જો કોઈ કુદરતી આફતના કારણે બેન્ક લોકરમાં મુકવામાં આવેલા સામાનને નુકસાન પહોંચે તો તેની જવાબદારી ગ્રાહકની રહેશે. ભારતીય રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ બેન્ક લોકર અંગે ગાઈડલાઈન જાહેર કરી છે. તેમાં બેન્કો માટે વળતરના કાયદા અને દેવાદારના વિસ્તરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રિઝર્વબેન્કના આ નિયમ એક જાન્યુઆરી 2022થી લાગુ થઈ જશે.
રિઝર્વ બેન્ક અનુસાર બેન્કોએ પોતાના બોર્ડ પાસે મંજૂર એવી નીતિ લાગુ કરવાની રહેશે જેમાં બેદરકારીના કારણે લોકરમાં મુકવામાં આવેલા સામનની ચોરી પર જવાદારી નક્કી કરવામાં આવી શકે. RBIએ જણાવ્યું કે કુદરતી આફત અથવા 'એક્ટ ઓફ ગોડ'ના કેસમાં બેન્ક કોઈ નુકસાન માટે જવાબદાર નહીં હોય. જોકે બેન્કોએ પોતાના પરિસરને આ પ્રકારની આફતોથી બચાવવા માટે યોગ્ય મેનેજમેન્ટ કરવાનું રહેશે.
બેન્ક લોકરમાં ખતરનાક અથવા ગેરકાયદે સામાન નહીં મુકી શકાય
RBIએ કહ્યું છે કે જે પરિસરમાં લોકર છે. તેમની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી બેન્કની રહેશે. આદેશમાં જણાવવામાં આવ્યું છે કે આગ, ચોરી, લૂંટ જેવી પરિસ્થિતિમાં બેન્ક પોતાની જવાદારીથી નહીં બચી શકે. એવા કેસમાં બેન્કની જવાબદારી હશે કે લોકર ભાડા પર લેનાર વ્યક્તિ તેમાં ગેરકાયદેસર કે ખતરનાક સામાન ન મુકે.
ભાડુ ન આપવા પર બેન્ક ખોલી શકશે લોકર
તેની સાથે જ ગ્રાહક જો સતત ત્રણ વર્ષ સુધી લોકર માટે નક્કી કરવામાં આવેલા ભાડાની ચુકવણી નહીં કરે તો બેન્ક એક્શન લેવા માટે સ્વતંત્ર હશે અને નક્કી કરવામાં આવેલી પ્રક્રિયાનું પાલન કરતા તે લોકરને ખોલી શકશે.
લોકરની શિફ્ટિંગ માટે પણ ગ્રાહકને સુવિધા આપવી પડશે. તેની સાથે જ સ્ટ્રોન્ગ રૂમ/ વોલેટની સુરક્ષા માટે પણ બેન્કને યોગ્ય પગલાં ભરવા પડશે. બેન્કને એન્ટ્રી અને એક્ઝિટના ઓછામાં ઓછા 180 દિવસના સીસીટીવ ફૂટેજ રાખવા જરૂરી છે.
ખાલી લોકર્સની યાદી બનાવવાની રહેશે
RBIએ જણાવ્યું કે બેન્કોને અલગ અલગ બ્રાન્ચના ખાલી લોકરની યાદી બનાવવાની રહેશે. તેમને લોકરોની ફાળવણી માટે એક વેટિંગ લિસ્ટની જાણકારી કરી બેન્કિંગ પ્રણાલી અથવા સાઈબર સુરક્ષા અથવા કોઈ અન્ય ડિજિટલ ક્ષેત્રમાં રાખવાની રહેશે.