રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયા ટૂંક સમયમાં જ નેત્રહીન લોકો માટે એક ખાસ પ્રકારની સુવિધા શરૂ કરવાની તૈયારીમાં છે. નેત્રહીન લોકોને નોટોની ઓળખમાં મદદ કરવા માટે એક મોબાઇલ એપ લાવવાનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે. મળતી જાણકારી અનુસાર, રિઝર્વ બેંકે મોબાઇલ એપ બનાવવા માટે ટેક્નિકી કંપનીઓ પાસેથી બોલીઓ મંગાવી છે.
કેન્દ્રીય બેંક આરબીઆઇએ નેત્રહીન લોકોને નોટોની ઓળખમાં મદદ કરવા માટે એક મોબાઇલ એપ લાવવાનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે. મળતી જાણકારી અનુસાર, રિઝર્વ બેંકે મોબાઇલ એપ બનાવવા માટે ટેક્નિકી કંપનીઓ પાસેથી બોલીઓ મંગાવી છે.
આ સાથે સાથે આરબીઆઇએ જણાવ્યું કે, મોબાઇલ એપ મહાત્મા ગાંધી સીરીઝ અને મહાત્મા ગાંધી (ન્યૂ) સીરીઝની માન્ય નોટોને મોબાઇલ કેમેરા સામે રાખવા અથવા સામેથી પસાર કરવા પર ઓળખામાં સક્ષમ હોવો જોઇએ. આ સિવાય આ મોબાઇલ એપ કોઇ પણ એપ સ્ટોરમાં વોઇસને આધારે શોધવા માટે લાયક હોવી જોઇએ.
રિઝર્વ બેંકે કહ્યું કે, આ એપને બે સેકન્ડમાં નોટની ઓળખ કરવામાં સક્ષમ હોવી જોઇએ. આ સાથે જ આ વગર ઇન્ટરનેટે પણ કામ કરનારું હોવું જોઇએ. આરબીઆઇનું કહેવું એમ છે કે એપ બહુભાષી હોવાંની સાથે સાથે અવાજની સાથે નોટિફિકેશન આપવા યોગ્ય હોવી જોઇએ. ઓછામાં ઓછી એપ હિંદી અને અંગ્રેજીમાં હોવી જોઇએ. તમને જણાવી દઇએ કે દેશમાં 80 લાખ લોકો છે કે જે કાં તો નેત્રહીન છે અથવા તો તેને જોવામાં કઠણાઇ થાય છે. રિઝર્વ બેંકનાં આ નિર્ણયથી આવાં લોકોને મદદ મળશે.
હાલમાં દેશમાં 10 રૂપિયા, 20 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા, 200 રૂપિયા, 500 રૂપિયા અને 2000 રૂપિયાની નોટો પ્રચલનમાં છે. આ સિવાય ભારત સરકાર એક રૂપિયાની નોટ પણ રજૂ કરે છે. નોટોની ઓળખ કરવામાં નેત્રહીન લોકોની મદદ માટે 'ઇંટાગ્લિયો પ્રિંટિંગ' એટલે કે છાપકામમાં 100 રૂપિયા અને આનાંથી મોટી રકમની નોટો પણ ઉપલબ્ધ છે.