લક્ષ્મી વિલાસ બાદ ભારતીય રિઝર્વ બેંકે મહારાષ્ટ્રના જાલના જિલ્લામાં મંતા અર્બન કોઓપરેટિવ બેંક પર પ્રતિબંધ લગાવ્યો છે. એટલે કે આ બેંકના ગ્રાહકો કેશ પેમેન્ટ અને લોનની લેણદેણ નહીં કરી શકે. આરબીઆઈએ આ પ્રતિબંધ 6 મહિના માટે લગાવ્યો છે. એટલે કે સરકારી બેંકના ગ્રાહક હવે ખાતામાં પૈસાનબી નાંખી શકે. ઉલ્લેખનીય છે કે બેંક પર નવી જમા રાશિ સ્વીકાર કરવા પર પણ પ્રતિબંધ લગાવ્યો છે. ત્યારે કોઈ પેમેન્ટ નહીં કરી શકે અને ન કોઈ પણ ચૂકવણીને લઈને સમજૂતી કરી શકશે.
આ બેંક આરબીઆઈની પરવાનગી વગર કોઈ લોન કે ઉધાર નહીં આપી શકે
બેંક પર નવી જમા રાશિ સ્વીકાર કરવા પર પણ પ્રતિબંધ લગાવ્યો
આરબીઆઈએ મંતા અર્બન કોઓપરેટિવ બેંક પર પ્રતિબંધ લગાવ્યો છે
મંતા અર્બન કોઓપરેટિવ બેંક વિશે આરબીઆઈએ મંગળવારે એક જાહેરખબર દ્વારા જણાવ્યું કે તેણે આ બેંકને કેટલાક નિર્દેશ આપ્યા છે. જે 17 નવેમ્બર 2020ના રોજ બંક બંધ થયા બાદથી 6 મહિના સુધી અમલમાં રહેશે. આ નિર્દેશો અનુસાર આ બેંક આરબીઆઈની પરવાનગી વગર કોઈ લોન કે ઉધાર નહીં આપી શકે. આ સાથે નતો જૂના લોનનું નવીનીકરણ કે કોઈ રોકાણ કરવામાં આવશે.
કેન્દ્ર સરકારે ખાનગી સેક્ટરની સંકટગ્રસ્ત લક્ષ્મી વિલાસ બેંકને મોરેટોરિયમમાં નાંખીને અનેક પ્રતિબંધ લગાવ્યા છે. નાણામંત્રાલયે જણાવ્યું કે તેને 16 ડિસેમ્બર સુધી મોરેટોરિયમ હેઠળ રાખવામાં આવી છે. કેન્દ્રએ બેંકના ગ્રાહકોના પૈસા ઉપાડની મર્યાદા નક્કી કરી છે. જે અંતર્ગત તેણે કહ્યું છે કે થાપણદારોને તબીબી સારવાર, ઉચ્ચ શિક્ષણની ફી ચુકવણી અને લગ્ન ખર્ચ જેવા હેતુઓ માટે ભારતીય રિઝર્વ બેંકની પરવાનગી સાથે 25,000 થી વધુની કેશ વધુ ઉપાડવાની મંજૂરી આપવામાં આવશે, એમ મંત્રાલયે જણાવ્યું હતું. સૂત્રો ની માહિતી અનુસાર સરકારે આ પગલું RBI ની સલાહ બાદ ભર્યું છે.
નાણા મંત્રાલયે જણાવ્યું કે લક્ષ્મી વિલાસ બેંકને બીઆર એક્ટની કલમ 45 અંતર્ગત આરબીઆઈ દ્વારા આપવામાં આવેલી એપ્લીકેશનના આધાર પર મોરેટોરિયમ હેઠળ રાખવામાં આવી છે. મોરેટોરિયમ લાગૂ રહેવા સુધી તે પોતાના ગ્રાહકોને 25 હજારથી વધારે પેમેન્ટ નહીં કરી શકે.
94 વર્ષ જૂની છે આ બેંક
એલવીએસ બેંકનું ગઠન 1926માં થયું હતુ. દેશભરમાં બેંકની 16 રાજ્યોમાં 566 શાખાઓ અને 918 એટીએમ ચાલી રહ્યા છે. બેંકે પોતાના ગ્રાહકોને વિશ્વાસ અપાવ્યો છે કે હાલના સંકટમાં તેમની જમા રકમ પર કોઈ અસર નહીં પડે. બેંકે કહ્યું હતું કે 262 ટકાથી તરલસા સુરક્ષા અનુપાત(એલસીઆર)ની સાથે જમાકર્તા, બોન્ડધારક, ખાતાધારક અને લેનદારોની સંપત્તી પૂરી રીતે સુરક્ષિત છે.