સતત લોકો બેંકિગ ફ્રોડનો શિકાર થતા હોય છે તો તેમણે કાર્ડ બંધ કરવા માટે કસ્ટમર કેરમાં કૉલ કરવો પડે છે. આ પછી તમે ડેબિટ અથવા ક્રેડિટ બંધ કરવા માટે કહો છો. જોકે તમે આવનારા સમયમાં એક ખાસ સુવિધાનો લાભ લઇ શકશો.
નવી સુવિધા હેઠળ તમે પોતે કાર્ડને સ્વિચ ઑન અને સ્વિચ ઑફ કરી શકો છો. આ પછી તમારે કસ્ટમર કેરમાં કૉલ કરવાની જરૂર નહી પડે, તમે જાતે જ કાર્ડ બંધ કરી શકો છો.
વાસ્તવમાં રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાએ બેંકો અને કાર્ડ જારી કરતી અન્ય કંપનીઓને ગ્રાહકોને ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ જાતે બંધ કરવા અને ચાલું કરવા (સ્વિચ ઑન અને સ્વિચ ઑફ) કરવાની સુવિધા આપવા માટે કહ્યુ છે. ગ્રાહકોને આ રીતના વિકલ્પ મોબાઇલ એપ, ઇન્ટરનેટ બેંકિગ, એટીએમ મશીન જેવા માધ્યમથી મળી શકે છે.
રિઝર્વ બેંકે કહ્યુ કે, આ સુવિધા ૨૪ કલાક ઉપલબ્ધ થવી જોઇએ. આ રીતના વિકલ્પ ગ્રાહકોને મોબાઇલ એપ, ઇન્ટરનેટ બેંકિગ એટીએમ મશીન અને વૉયસ રિસ્પૉન્સ સહિત કોઇ પણ પ્રકારના સુવિધા આપવામાં આવે. આ સિવાય વર્તમા કાર્ડનો ક્યારેય પણ ઑનલાઇન ઉપયોગ ના કરાયો હોય તેમણે આ પ્રકારની ચૂકવણી માટે અનિવાર્ય રૂપથી નિષ્ક્રિય કરવામાં આવે.
જોકે આરબીઆઇની આ આદેશ પ્રીપેડ ગિફ્ટ કાર્ડ અને મેટ્રો કાર્ડ જેવા કાર્ડના લાગૂ નહી થાય. તમને જણાવી દઇએ કે, આરબીઆઇના આ પગલાનો મુખ્ય હેતુ ડિજિટલ લેવડદેવડને વધારે સુરક્ષિત કરવાનો છે.