આગામી 1 એપ્રિલથી આપની બેન્ક બદલવાની છે, કેમકે દેશની 10 સરકારી બેન્કોનું વિલય કરીને ચાર બેન્ક બનાવવાની કવાયત પોતાના અંતિમ ચરણમાં છે. 1 એપ્રિલે આ 10 બેન્કોના વિલયથી 4 મોટી બેન્ક બનશે. જે દેશની નાણાકીય ક્ષેત્રનું સૌથી મોટુ વિલય હશે.
દેશની 10 સરકારી બેન્કોનું વિલય કરીને ચાર બેન્ક બનાવવાની કવાયત અંતિમ ચરણમાં
1 એપ્રિલે આ 10 બેન્કોના વિલયથી 4 મોટી બેન્ક બનશે
ભારતીય રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) એ શનિવારે આ વિલયને સૂચિત કરી દીધુ, જે આ મહીનાની શરૂઆતમાં જારી એક અધિસૂચના દ્વારા લાગૂ થઇ જશે.
ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ તથા યૂનાઇટેડ બેન્ક ઓફ ઇન્ડિયાની શાખાો પંજાબ નેશનલ બેન્ક (PNB) ની શાખાઓના રૂપે કામ કરશે. જ્યારે સિન્ડિકેટ બેન્ક કેનેરા બેન્કના રૂપે કામ કરશે. આંધ્ર પ્રદેશ તથા કૉર્પોરેશન બેન્કની શાખાઓ યૂનિયન બેન્ક ઓફ ઇન્ડિયાના રૂપે કામ કરશે. જ્યારે અલાહાબાદ બેન્કની શાખાઓ ઇન્ડિયન બેન્કની શાખાઓના રૂપે કામ કરશે.
રિઝર્વ બેન્કના મુખ્ય જનરલ મેનેજર યોગેશ દયાલ દ્વારા જારી પ્રેસ રિલીઝ અનુસાર અલાહાબાદ બેન્કની તમામ શાખાઓ 1 એપ્રિલ 2020થી ઇન્ડિયન બેન્કની શાખાઓ રૂપે કામ કરશે. જ્યારે અલાહાબાદ બેન્કના ખાતાધારક અને જમાકર્તા તમામ એક એપ્રિલ 2020થી ઇન્ડિયન બેન્કના ગ્રાહક તરીકે માનવામાં આવશે.
કેન્દ્રીય બેન્ક દ્વારા જારી અન્ય એક પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે આંધ્ર બેન્ક અને કોર્પોરેશન બેન્કની તમામ શાખાઓ એક એપ્રિલ 2020થી યૂનિયન બેન્ક ઓફ ઇન્ડિયાની શાખાઓ તરીકે કામ કરશે. આ પ્રકારે આંધ્ર પ્રદેશ અને કોર્પોરેશન બેન્કના ગ્રાહક, ખાતાધારક અને જમાકર્તા તમામ યૂનિયન બેન્ક ઓફ ઇન્ડિયાના ગ્રાહક તરીકે માનવામાં આવશે.
નોંધનીય છે કે કેન્દ્ર સરકારે સાર્વજનિક ક્ષેત્રની 10 મોટી બેન્કોનો વિલય કરી ચાર મોટી બેન્ક બનાવવાનો નિર્ણય લીધો હતો.