ફેબ્રુઆરી 2018માં પોતાનો કારોબાર શરૂ કરનારી આદિત્ય બિરલા આઈડિયા પેમેન્ટ્સ લિમિટેડ (ABIPBL) બેંક પોતાનો કારોબાર સમેટવાનું વિચારી રહી છે. ભારતીય રિઝર્વ બેંકના આધારે કંપનીની સ્વેચ્છાએ પોતાનો કારોબાર સમેટવાની અરજી કર્યા બાદ તેને લિક્વિડેશન એટલે કે બંધ કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે.
ABIPBL બેંક થશે બંધ
બેંકની વેબસાઈટ પર જાહેર થયો મેસેજ
રૂપિયા કાઢવા માટે જાણો પ્રોસેસ અને હેલ્પ લાઈન નંબર
RBIએ જાહેર કર્યું નોટિફિકેશન
રિઝર્વ બેંક ( RBI )એ એક નોટિફિકેશન જાહેર કરતાં કહ્યું છે કે આદિત્ય બિરલા આઈડિયા પેમેન્ટ્સ બેંક લિમિટેડને સ્વેચ્છાથી લિક્વિડેટ કરવાના આવેદન પર મુંબઈ હાઈકોર્ટે 18 સપ્ટેમ્બર 2019ના આદેશ જાહેર કર્યો હતો. એક નોટિફિકેશનમાં તેણે કહ્યું છે કે મુંબઈ હાઈકોર્ટના ડેલોઈટ તાઉચે તોમસ્તુ ઈન્ડિયા (LLP)ના વરિષ્ઠ નિર્દેશક વિજયકુમાર વી.અય્યરને તેના માટે લિક્વિડેટર નિમવામાં આવ્યા છે.
બેંકની વેબસાઈટ પર જાહેર થયો મેસેજ
આ વર્ષે જુલાઈની શરૂઆતમાં જ આદિત્ય બિરલા આઈડિયા પેમેન્ટ્સ બેંકે પોતાનો કારોબાર સમેટવાની જાહેરાત કરી હતી. કંપનીએ તેની પાછળનું કારણ અપ્રત્યાશિત ઘટનાક્રમના કારણે કારોબારનું અવ્યવહારિક હોવાનું જણાવ્યું હતું. આ પછી ABIPBLએ ઓફિશિયલ વેબસાઈટ www.adityabirla.bankને બંધ કરવાની જાણકારી આપી છે. આ મેસેજમાં બેંકે પોતાના ગ્રાહકોને લખ્યું છે કે અમે વિશ્વાસ આપીએ છીએ કે બેંકે જમા રાશિ આપવાની પૂરી વ્યવસ્થા કરી છે.
Aditya Birla Idea Payments Bank Ltd. (ABIPBL) has announced that it will be shutting down due to change in Business Environment which has made the Economic Model unviable.The Bank received the Licence in 2015 & started operations from February 2018. Who own the Equity of ABIPBL? pic.twitter.com/vQiO7zXNKF
રૂપિયા કાઢવા માટે જાણો પ્રોસેસ અને હેલ્પ લાઈન નંબર
બેંકે વેબસાઈટ પરના મેસેજમાં એમ પણ કહ્યું છે કે તમે ઓનલાઈન/મોબાઈલ બેંકિંગ/ નજીકની બેંકના માઘ્યમથી પણ પેમેન્ટ બેંકમાં ટ્રાન્સફર કરવા માટેની અરજી કરી શકો છો. આ સાથે બેંકે હેલ્પલાઈન નંબર ( Helpline Number ) 18002092265 આપવામાં આવ્યો છે. આ સિવાય [email protected] પર ઈમેલ કરીને જાણકારી મેળવી શકે છે. જો કે આ પહેલી વાર નથી જ્યારે કોઈ કંપની પોતાના પેમેન્ટ બેંકનો કારોબાર સમેટી રહી છે.