જો તમે Paytm PhonePe કે Mobikwik જેવા મોબાઇલ વોલેટનો ઉપયોગ કરો છો તો આપના માટે RBIની આ નવી ગાઇડલાઇન્સને જાણવી જરૂરી છે. RBIએ લોકોને બેન્કિંગ ફ્રોડથી બચવા માટે આ નવા નિયમ બનાવ્યા છે. નવા નિયમો મુજબ યૂઝર્સને કોઈ પણ ફ્રોડ કે અનધિકૃત લેવડ-દેવડથી બચાવી શકાશે. RBIએ કહ્યું છે કે મોબાઇલ વોલેટ યૂઝર્સને ક્રેડિટ કે ડેબિટ કાર્ડ યૂઝર્સની જેમ જ સુરક્ષા પૂરી પાડવામાં આવશે. આવો અમે આપને જણાવીએ છીએ RBI દ્વારા જાહેર કરવામાં આ ખાસ નિયમો વિશે..
- તમામ મોબાઇલ વોલેટ કંપનીઓને કહેવામાં આવ્યું છે કે દરેક ટ્રાન્જેક્શન એલર્ટ મેસેજની સાથે એક કોન્ટેક્ટ નંબર પણ ઉપલબ્ધ કરાવે જેની પર યૂઝર્સ ફ્રોડ કેસનો રિપોર્ટ કરી શકે.
- Paytm PhonePe Amazon Pay સહિત અન્ય કંપનીઓ આ સુનિશ્ચિત કરે કે દરેક યૂઝર SMS એલર્ટ માટે રજિસ્ટર છે જેનાથી તેને દરેક ટ્રાન્જેક્શનનો SMS ઈ-મેલ અને નોટિફિકેશન મોકલી શકાય. તમામ મોબાઇલ વોલેટ કંપનીઓને 24/7 કસ્ટમર કેર હેલ્પલાઇન સેટ અપ કરવી પડશે જેનાથી યૂઝર્સ કોઈ પણ ફ્રોડ કે ચોરીનો રિપોર્ટ કરી શકે.
- જો યૂઝર કોઈ ફ્રોડ ટ્રાન્જેક્શન માટે રિપોર્ટ નથી કરતો છતાં પણ મોબાઇલ વોલેટ કંપનીને રિફન્ડ આપવું પડશે. જો કોઈ ફ્રોડ ટ્રાન્જેક્શનની જાણકારી 4થી 7 દિવસની અંદર આપવામાં આવે તો કંપની દ્વારા યૂઝરના ટ્રાન્જેક્શન વેલ્યૂ કે 10000 રૂપિયા (જે પણ ઓછું હોય) પરત આપવા પડશે.
- RBIએ મોબાઇલ વોલેટ યૂઝર્સને ક્રેડિટ અને ડેબિટ કાર્ડ યૂઝર્સની જેમ સુરક્ષા પૂરી પાડવાની વાત પણ કહી છે. જો કોઈ યૂઝરને કોઈ પણ મોબાઇલ વોલેટ દ્વારા કોઈ પણ પ્રકારના ફ્રોડ/બેદરકારીનો સામનો કરવો પડે છે તો 3 દિવસોની અંદર રિપોર્ટ કરવા પર કંપનીએ સમગ્ર રકમ પરત કરવી પડશે.