ક્રેડિટ કાર્ડ કંપનીઓની મનમાની રોકવા માટે રિઝર્વ બેંકે નવી ગાઈડલાઈન જાહેર કરી દીધી છે જે 1 જૂલાઈ 2022થી અમલમાં આવી જશે.
ક્રેડિટ કાર્ડ સંબંધિત નિયમો બદલાઈ જશે
RBIએ જાહેર કરી નવી ગાઈડલાઈન
ક્રેડિટ લેનારા ધ્યાનથી વાંચી લેશો આ નિયમ
ક્રેડિટ કાર્ડ કંપનીઓની મનમાની રોકવા માટે રિઝર્વ બેંકે નવી ગાઈડલાઈન જાહેર કરી દીધી છે જે 1 જૂલાઈ 2022થી અમલમાં આવી જશે. આરબીઆઈની નવી ગાઈડલાઈનમાં ગ્રાહકોના હિતાને વધારે મજબૂત કરવામાં આવ્યા છે. સાથે જ કાર્ડ સંબંધી આવી રીતે ચાર્જિસને પારદર્શી બનાવવા પર ભાર આપવામાં આવ્યો છે. નવી ગાઈડલાઈન અનુસાર ગ્રાહકોની મંજૂરી વગર ક્રેડિટ કાર્ડ આપી શકશે નહીં, આ ઉપરાંત ક્રેડિટ કાર્ડની લિમિટ પણ વધારી શકશે નહીં અને બીજી કોઈ પણ પ્રકારની ઓફર્સ પણ લાગૂ કરી શકશે નહીં, જો કોઈ કાર્ડ આપનારી કંપની નિયમો તોડશે તો બિલથી વધારે બેગણો દંડ આપવો પડશે.
અહીં કરી શકશો ફરિયાદ
હવે ક્રેડિટ કાર્ડ બાકી લેણા માટે કાર્ડ હોલ્ડર્સને ધમકાવી શકશે નહી. જો કોઈ બેંક આવું કરશે તો, રિઝર્વ બેંકના ઓમ્બ્ડસમૈનમાં તેની ફરિયાદ કરી શકે છે. ક્રેડિટ કાર્ડના ઉપયોગને લઈને વાત કરતા સુબ્રમની ડોટ કોમના સીઈઓ પીવી સુબ્રમણ્યમે કહ્યું કે, આ ખૂબ જ કામની વાત છે. આ એક ચાકૂ માફક છે, જેનો ઉપયોગ ડોક્ટર જીવ બચાવવા અને કસોઈ જીવ લેવા માટે કરે છે. ક્રેડિડ કાર્ડનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો, ખૂબ જ કામની વસ્તું છે.
ફ્રી ક્રેડિટ કાર્ડ વિશે ચોક્કસથી જાણી લેજો આ વાત
ફ્રી ક્રેડિટ કાર્ડને લઈને જાણકારોનું કહેવુ છએ કે, આ એક રીતે માર્કેટિંગ સ્ટ્રેટજી છે. ક્રેડિટ કાર્ડ લેવા પર એક જોઈનિંગ ફી હોય છે અને એક વાર્ષિક ચાર્જ હોય છે. કેટલીય વાર એવું થાય છેકે, આપને કહેવામા આવે છે કે, ક્રેડિટ કાર્ડ આપને ફ્રીમાં આપવામાં આવી રહ્યુ છે. બની શકે છે કે, આપના માટે જોઈનિંગ ફી માફ કરી દેવામાં આવી હોય. જોઈનિંગ ફીની સાથે સાથે પહેલા વર્ષની ફી પણ માફ કરી દેવામા આવી હોય.જો કે, બીજા વર્ષતી આપને ચાર્જ ચુકવવો પડશે. બીજી લાઈફ ટાઈમ ફ્રી ક્રેડિટ કાર્ડ હોય છે, જેમાં તમામ ફી માફ કરી દેવામાં આવે છે.
મલ્ટીપલ ચાર્જ વિશે વિસ્તારથી જાણી લેવું
ક્રેડિટ કાર્ડ યુઝર્સની એક ફરિયાદ હંમેશા રહેતી હોય છે કે, તેમની ચાર્જ સંબંધિત યોગ્ય જાણકારી મળતી નથી. આવા ગ્રાહકોના હિતની રક્ષા માટે રિઝર્વ બેંકે પારદર્શિતા વધારવા પર ફોક્સ કર્યું છે. સર્કુલરના જણાવ્યા અનુસાર, ક્રેડિટ કાર્ડ જાહેર કરનારાઓએ ચાર્જ વિશે વિસ્તારથી જાણકારી શેર કરવાની રહેશે. રિટેલ પર્ચેંજ, બેલેંસ ટ્રાંસફર, કૈશ એડવાંસ, મિનિમમ પેમેન્ટ નહીં કરવા પર, લેટ પેમેન્ટ ફી સહિત અન્ય પ્રકારના ચાર્જિંસ વિશે કાર્ડ ઈશ્યૂઅરે વિસ્તૃત જાણકારી આપવાની રહેશે.