વર્ષના અંતિમ મહિના એટલે કે ડિસેમ્બર 2020માં તમારી બેંક રૂપિયાની લેવડ દેવડના નિયમમાં ફેરફાર કરવા જઈ રહી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટને 24x7x365 મળી રહે તે માટે આ જાહેરાત કરી છે. આ નિર્ણય ડિસેમ્બર 2020માં લાગૂ થશે. સીધો મતલબ એ છે કે તમે RTGS ની મદદથી 24 કલાકમાં મની ટ્રાન્સફર કરી શકશો. હાલમાં RTGS સિસ્ટમ મહિનાના બીજા અને ચોથા શનિવાર સિવાય અઠવાડિયાના કામકાજના દિવસોમાં સવારે 7થી સાંજના 6 વાગ્યા સુધી ચાલુ રહે છે.
RBIએ કરી રૂપિયાની લેવડદેવડને લઈને જાહેરાત
ડિસેમ્બર 2020માં તમારી બેંક બદલી રહી છે આ નિયમ
RTGS ની મદદથી 24 કલાકમાં મની ટ્રાન્સફર કરી શકાશે
ગયા વર્ષે NEFTને 24 કલાક માટે શરૂ કરાયું હતું
આ પહેલાં ગયા વર્ષે ડિસેમ્બરમાં નેશનલ ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર સિસ્ટમને 24x7x365ને શરૂ કરાયું હતું. આરબીઆઈએ પોતાની પોલીસીમાં કહ્યું કે તે સમયથી સિસ્ટમ યોગ્ય રીતે કામ કરી રહી છે. કેન્દ્રીય બેંકના આધારે ભારતીય બજારોના વૈશ્વિક એકીકરણના લક્ષ્યને સમર્થન આપવા માટે ચાલી રહેલા કામને સમર્થન આપવા ભારતના આંતરરાષ્ટ્રીય નાણાંકીય કેન્દ્રોને વિકસિત કરવાની કોશિશ અને ઘરેલૂ કોર્પોરેટ અને સંસ્થાઓને માટે મોટા સ્તરે ભુગતાનની ફ્લેક્સીબિલિટી મળી રહે તે માટે આ નિર્ણય લેવાયો છે.
ઘણી કામની છે RTGS સર્વિસ
RTGS એટલે કે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટની મદદથી ફંડને તરત ટ્રાન્સફર કરી શકાય છે. આ મોટા ટ્રાન્ઝેક્શનમાં કામ કરે છે. RTGSની મદદથી 2 લાખ રૂપિયાથી ઓછી અમાઉન્ટ ટ્રાન્સફર નહીં થઈ શકે. તેને ઓનલાઈન અને બેંક બ્રાન્ચ બંને માધ્યમથી ઉપયોગમાં લઈ શકાય છે. તેમાં કોઈ ફંડ ટ્રાન્સફર ચાર્જ આપવાનો રહેતો નથી. પણ બ્રાન્ચમાં RTGS ફંડ ટ્રાન્સફર કરવા માટે ચાર્જ આપવાનો રહે છે. રિઝર્વ બેંકની મોનેટરી પોલીસી કમિટિએ વ્યાજદરમાં કોઈ ફેરફાર કર્યા નથી. અત્યારે રેપોરેટ 4 ટકા પર કાયમ છે.
શું છે NEFT
નેશનલ ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (NEFT) એક ઈલેક્ટ્રોનિક પેમેન્ટ મોડ છે. તેમાં એક એકાઉન્ટથી અન્ય એકાઉન્ટમાં રૂપિયાની લેવડદેવડ કરાય છે. ઈન્ટરનેટ બેંકિંગની મદદથી આ સુવિધાનો લાભ લઈ શકાય છે. સાથે બેંક જઈને પણ તેનો ઉપયોગ કરી શકાય છે. તેનાથી સેકંડોમાં ફંડ ટ્રાન્સફર કરી શકાય છે. તેના માટે કોઈ વધારાનો ચાર્જ આપવાનો રહેતો નથી. બ્રાંચથી ફંડ ટ્રાન્સફર માટે ચાર્જ લાગે છે.