કોરોનાકાળમાં RBI દ્વારા છેલ્લા બે દિવસથી નાણાકીય નીતિ અંગે ચર્ચા કરવામાં આવી રહી હતી. RBIના ગર્વનર શક્તિકાંત દાસની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં વ્યાજદરમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી.
RBIએ વ્યાજ દરમાં કોઇ ફેરફાર કર્યો નહી
RBIએ રેપો રેટમાં કોઇ ફેરફાર કર્યો નહી
RBIએ રેપો રેટ 4 ટકા યથાવત રાખ્યો
રિવર્સ રેપો, MSF, બેંક રેટમાં કોઇ ફેરફાર નહીં
ભારતીય રીઝર્વ બેંકની ત્રણ દિવસની MPC બેઠકના પરિણામ આવી ગયા છે. ભારતીય રીઝર્વ બેંકો વ્યાજ દરમાં કોઇ ફેરફાર કર્યો નથી. બધાની નજર એ વાત પર હતી કે રિઝર્વ બેંક વ્યાજ દરમાં કોઇ ફેર કરશે કે નહીં અને લોકોના EMI ઘટશે?
MPC decided to continue with accommodative stands of monetary policy as long as necessary, at least till current financial year & into next year to revive growth on a durable basis & mitigate the impact of COVID-19 while ensuring that inflation remains within target: RBI Governor https://t.co/XjbTZ58gx5
RBIના ગર્વનર શક્તિકાંત દાસે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે વ્યાજદરમાં કોઇ ફેરફાર નહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમયે રેપોરેટ 4 ટકા અને રિવર્સ રેપોરેટ 3.35 ટકા છે. કેશ રિઝર્વ રેશિયો 3 ટકા અને બેંક રેટ 4.25 ટકા છે.
ઉલ્લેખનીય છે કે MPCની ઓકટોબરમાં યોજાયેલી બેઠકમાં છૂટક ફુગાવાના કારણે નીતિગત દરમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નહોતો.