કેન્દ્રીય બેંકે ગ્રોથ અનુમાનમાં કોઈ પરિવર્તન કર્યુ નથી. આ નાણાકીય વર્ષ 2022-23 માટે 7.2 ટકા જ રહેશે. આવું રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસનું કહેવુ છે.
રિઝર્વ બેંકે સતત ત્રીજી રેપો રેટમાં કર્યો વધારો
મૌદ્રિક નીતિની સમીક્ષા બેઠકમાં આંકડા રજૂ થયા
RBIએ જીડીપી ગ્રોથનું અનુમાન રજૂ કર્યું
રિઝર્વ બેંક ઓફ ઈંડિયાએ રેપો રેટમાં સતત ત્રીજી વાર વધારો કરી દીધો છે. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે શુક્રવારે મૌદ્રિક નીતિ સમિતિની બેઠકના પરિણામ જાહેર કર્યા હતા. તેમણે કહ્યું કે, રેપો રેટમાં 0.50 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારા બાદ પ્રભાવી રેપો રેટ વધીને 5.40 ટકા થઈ ગયું છે. આ દરમિયાન તેમણે ભારતીય GDP ગ્રોથને લઈને આરબીઆઈના અનુમાન વિશે પણ જણાવ્યું હતું.
ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, કેન્દ્રીય બેંકે ગ્રોથ અનુમાનમાં કોઈ પરિવર્તન કર્યુ નથી. આ નાણાકીય વર્ષ 2022-23 માટે 7.2 ટકા જ રહેશે. આ અગાઉ એવુ મનાતુ હતું કે, મોંઘવારી અને વૈશ્વિક બજારોના દબાણના કારણે વિકાસ દરના અનુમાનમાં કંઈક ફેરફાર થઈ શકે છે. પણ ગવર્નર દાસે મૌદ્રિક નીતિઓ અને દેશના આર્થિક સુધારા પર વિશ્વાસ રાખતા વિકાસ દર અનુમાન પહેલાની માફક સ્થિર રાખ્યું છે.
આ દરમિયાન તેમણે કહ્યું કે, કેટલાય સંકટોમાંથી બહાર આવ્યા બાદ ભારતનો વિકાસ હવે ઝડપથી વધશે. એક રિપોર્ટ અનુસાર, એપ્રિલ-જૂન 2022ની વચ્ચે જીડીપી ગ્રોથ 16.2 ટકા રહી શકે છે. જૂલાઈથી સપ્ટેમ્બર સુધી ત્રિમાસિકમાં આ 6.2 ટકા પર રહેવાની શક્યતા છે. ઓક્ટોબરથી ડિસેમ્બર 2022 ત્રિમાસિકમાં 4.1 ટકા અને જાન્યુઆરીથી માર્ચ 2023વાળી ત્રિમાસિકમાં 4.0 ટકા રહેવાની શક્યતા છે.
IMF ઘટાડ્યું હતું અનુમાન
આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષે જૂલાઈ 2022ના અંતમાં ચાલૂ નાણાકીય વર્ષ માટે ભારતના સકલ ઘરેલૂ ઉત્પાદન ના વિકાસનું અનુમાન 80 આધાર અંકથી ઘટાડીને 7.4 ટકા કરી દીધું હતું. આઈએમએફે 26 જૂલાઈના રોજ પોતાના વર્લ્ડ ઈકોનોમિક આઉટલુક રિપોર્ટની અપડેટમાં કહ્યું હતું કે, ભારત માટે આ સંશોધન મુખ્ય રીતે ઓછા અનુકૂલ બહારી પરિસ્થિતિઓ અને વધારે ઝડપથી થઈ રહેલી નીતિગત કડકાઈને દર્શાવે છે.