રિઝર્વ બેંકની મોનિટરિંગ પોલીસી કમિટીની બેઠકમાં એક વાર ફરી રેપો રેટ ઘટાડવાનો નિર્ણય લીધો છે. દિવાળી નિમિત્તે RBIએ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. જેના કારણે EMI સસ્તી થશે.
સતત પાંચમી વખત રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો થયો
હાલમાં રેપો રેટ 5.40 ટકાનો છે જે ઘટાડીને 5.15 ટકા થયો
દિવાળી નિમિત્તે RBIએ આપી મોટી ગિફ્ટ
તહેવારની સીઝનની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની તરફથી એક મોટી ભેટ મળી છે. જો કે RBIની મોનિટરિંગ પોલિસી કમિટીની બેઠકમાં શુક્રવારે આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગર્વનર શક્તિકાંત દાસની અધ્યક્ષતામાં આ કમિટિ સુસ્ત અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે રેપો રેટમાં એક વખત ફરી ઘટાડો કર્યો છે.
કેટલો થયો ઘટાડો?
RBIએ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. જેનો લાભ તમામ પ્રકારના લેનારા ગ્રાહકો સુધી ઝડપથી પહોંચી શકશે. EMI સસ્તી થવાથી અનેક લોકોને ઘણો મોટો લાભ થશે.
અગાઉ RBI ગર્વનર આપી ચૂક્યા છે સંકેત
રિઝર્વ બેંકના ગર્વનર શક્તિકાંત દાસ પહેલાંથી સંકેત આપી ચૂક્યા હતા કે મોંધવારી દરમાં ઘટાડાને ધ્યાનમાં રાખીને રેપો રેટમાં ઘટાડાની આશા રાખવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસો પહેલાં શક્તિકાંત દાસે કહ્યું કે કંપની ટેક્સમાં ઘટાડાની સાથે અનેક વસ્તુઓ પર જીએસટી રેટમાં ઘટાડાને જોઈને કેન્દ્ર સરકારને માટે ફેરફાર પણ સામેલ થઈ શકે છે. એવામાં આશા રાખવામાં આવી રહી છે કે કેન્દ્રીય બેંક અર્થવ્યવસ્થામાં વિકાસ વધારવા રેપો રેટમાં રાહત આપવામાં આવે.
જાણો કેટલો થઈ શકે છે ઘટાડો?
કેન્દ્ર સરકાર દ્વારા આર્થિક વ્યવસ્થા મજબૂત કરવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે ત્યારે RBI રેપોરેટમાં ઘટાડો કરી શકે છે. RBI દ્વારા રેપોરેટમાં ઘટાડો કરાતા લોકોને ઘણી રાહત મળી શકશે. RBIએ અગાઉ 35 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો હતો પરંતુ આ વખતે 25 પોઈન્ટનો ઘટાડો કરી શકે છે. આ વર્ષે RBI દ્વારા સતત ચાર વાર રેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. હાલ રેપોરેટ 5.40 ટકા છે ત્યારે સરકાર રેટમાં ધટાડો કરવાની જાહેરાત કરી શકે છે. જેનાથી હોમ લોન હજુ સસ્તી થઈ જશે.