રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની આજે નાણાંકીય નીતીની સમીક્ષાની બેઠક મળી. આ નીતિ સમીક્ષાની બેઠકમાં RBI દ્વારા રેપોરેટમાં 0.25 ટકા ઘટાડો કર્યો છે. આમ 0. 25 ટકાનો ઘટાડો કરતાં રેપો રેટ ઘટીને 5.75 થયો.
ભારતીય રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દેશની જનતા માટે રાહતના સમાચાર આપ્યા છે. આરબીઆઇની ધિરાણ નીતિ સમિતિની સમીક્ષા બેઠકમાં લેવામાં આવેલા નિર્ણય અનુસાર રેપો રેટને 6 ટકાથી ઘટાડીને 5.75 ટકા કરી દેવામાં આવ્યો છે.
આમ કેન્દ્રમાં મોદી સરકારના બીજા કાર્યકાળમાં આરબીઆઇ દ્વારા પ્રજાને સૌથી મોટી ભેટ આપવામાં આવી છે. આરબીઆઇ દ્વારા એકવાર ફરી રેપોરેટમાં ઘટાડો કર્યો છે. આરબીઆઇએ સમીક્ષા બેઠકમાં 0.25 બેઝિક પોઇન્ટનો ઘટાડો કર્યો છે. આ સાથે જ હવે નવો રેપો રેટ 5.75 ટકા થઇ ગયો છે. નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારના બીજા કાર્યકાળની આ પ્રથમ નાણાંકીય સમીક્ષા બેઠક હતી.
આજની સમીક્ષા બેઠકમાં રેપો રેટ ઘટાડવામાં આવતાં હોમ લોન અને કાર લોનના હપ્તાની રકમ પણ ઘટશે. રેપો રેટ ઘટાડવાથી સામાન્ય માણસને રાહત મળશે. તેમજ હોમ લોનના વ્યાજદરોમાં પણ ઘટાડો થશે.
સતત ત્રીજી વખત ઘટાડો
RBI એ છેલ્લી બે બેઠકોમાં પણ MPC રેપો રેટમાં ક્રમશઃ 0.25 ટકા ઘટાડો કર્યો હતો. એટલે કે જૂનમાં સતત ત્રીજી વખત કેન્દ્રીય બેંકે રેપો રેટ ઘટાડ્યો છે. જ્યારે રિઝર્વ બેંકના ઈતિહાસમાં પ્રથમ વખત ગવર્નરની નિયુક્તિ બાદ સતત ત્રીજી વખત રેપો રેટ ઘટ્યો હોય તેવું બન્યું છે. ઉલ્લેખનીય છે કે ગત ડિસેમ્બરમાં ઉર્જિત પટેલના રાજીનામા બાદ શક્તિકાંત દાસ ગવર્નર તરીકે નિયુક્ત થયાં છે.
GDPનું અનુમાન ઘટાડ્યું
આ વચ્ચે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ જીડીપીનું અનુમાન ઘટાડી દીધું છે. આરબીઆઇએ જીડીપી ગ્રોથ 7 ટકા રહેવાનું અનુમાન કર્યું છે. આ અગાઉ આરબીઆઇએ જીડીપી ગ્રોથ 7.2 ટકા રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી હતી. જ્યારે મોંઘવારીને લઈને RBIનું અનુમાન છે કે પ્રથમ છ મહિના માટે મોંઘવારી દર 3 થી 3.1 ટકા રહી શકે છે. જ્યારે બીજા છ મહિનામાં મોંઘવારી દર 3.4 થી 3.7 ટકા રહે તેવું અનુમાન છે.
ઑનલાઈન ટ્રાન્ઝેક્શન કરનારાઓ માટે ખુશખબર
આ સાથે ઓનલાઇન ટ્રાન્ઝેકશન કરનારાઓને પણ આરબીઆઇએ ખુશખબર આપી છે. RBI એ RTGS અને NEFT દ્વારા કરવામાં આવતા ટ્રાન્ઝેકશન પર લગાવામાં આવેલ ડ્યૂટી (ફી)ને હટાવી દીધી છે. એનો મતલબ એ થયો કે હવે RTGS અને NEFT દ્વારા કરવામાં આવેલા ટ્રાન્ઝેકશન પર લોકોને કોઇપણ પ્રકારનો વધારાનો ચાર્જ ચુકવવો પડશે નહીં.
ભારતીય રીઝર્વ બેંકે છ સભ્યોની મોનીટરી પોલીસી કમિટિએ વર્ષ 2019-20 માટે બીજી દ્વિમાસિક નાણાંકીય નીતીનિ સમીક્ષા યોજી હતી. આ બેઠકમાં રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રેપો રેટ 6 ટકાથી ઘટીને 5.75 ટકા થયો છે. બેઠકમાં તમામ સભ્યોએ રેપો રેટ ઘટાડવાને સમર્થન પણ આપ્યું. ઉલ્લેખનીય છે છેલ્લે મળેલી સમીક્ષા બેઠકમાં આરબીઆઇ દ્વારા રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. જેના કારણે દેશની જનતાને ફાયદો થયો હતો.