આરબીઆઇની આજે મળેલી મોનેટરીંગ બેઠકમાં વ્યાજદરમાં ઘટાડાનો નિર્ણય કર્યો છે. આરબીઆઇએ રિવર્સ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. વ્યાજદરમાં ઘટાડો થવાના કારણે હોમ લોનના ઇએમઆઇમાં રાહત મળે તેવી સંભાવના છે. આરબીઆઇએ રેપો રેટમાં 6.25થી ઘટીને 6 ટકા થયો.
આરબીઆઇએ પોતાની છઠ્ઠી મુદ્રા સમીક્ષા નીતિ જાહેર કરી છે. જેમાં આરબીઆઇએ ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય કર્યો છે. આરબીઆઇએ ખેડુતોને અપાતી લોનની રકમમાં વધારો કર્યો છે. જેમાં ગેરંટી વિના ખેડૂતો 1.60 લાખ સુધીની લોન મેળવી શકશે. ઉલ્લેખનીય છે અગાઉ ખેડૂતો ગેરંટી વિના માત્ર 1 લાખ સુધીની લોન મેળવી શકતા હતા. ઉલ્લેખનીય છે કે આરબીઆઇએ વ્યાજદરમાં ઘટાડો કરતાં સામાન્ય નાગરિકને ફાયદ મળશે.
RBI આજે બેઠકમાં વ્યાજ દર ઘટાડા પર નિર્ણય લીધો છે. મોંઘવારી દર ઓછો થવાથી RBI રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કરી શકે છે. RBIના નવા ગવર્નર શક્તિકાંત દાસની આ પ્રથમ સમીક્ષા બેઠક છે.
જો વ્યાજ દરમાં ઘટાડો થશે તો સામાન્ય લોકોને રાહત મળી શકે છે. વ્યાજ દર ઘટવાથી EMIમાં ઘટાડો થઈ શકે છે. મળતી માહિતી મુજબ RBI 0.25 ટકા સુધી વ્યાજ દરમાં ઘટાડો કરી શકે છે. જેનો ફાયદો હોમ ઓટો અને પર્સનલ લોનની EMI પર પડશે.
હાલ રિઝર્વ બેન્કનો પોલિસી રેટ (રેપો) ૬.૫૦ ટકા છે. રિઝર્વ બેન્કે ઓગસ્ટ-૨૦૧૮માં રેપો રેટમાં ૦.૨૫ ટકાનો વધારો કરીને ૬.૫૦ ટકા કર્યો હતો. હાલ ફુગાવાનો દર નીચો હોવાથી રિઝર્વ બેન્ક આ વખતે ૦.૨૫ ટકા વ્યાજદરમાં ઘટાડો કરી શકે છે.
એક રિસર્ચ રિપોર્ટમાં જણાવાયું છે કે રિઝર્વ બેન્ક ફેબ્રુઆરીમાં પોતાના વલણમાં બદલાવ કરશે એવી આશા છે જોકે દરમાં વૃદ્ધિ થવાની શક્યતા ઓછી જ છે પરંતુ આજરોજ આરબીઆઇ નીતિગત વ્યાજદરમાં ૦.૨૫ ટકાનો કાપ મૂકે તો આશ્ચર્ય થશે નહીં.