રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠકમાં પરિણામોનું એલાન થઇ ગયું છે. આ બેઠકમાં સામાન્ય લોકોને રાહત આપતા રેપો રેટમાં 35 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. ઘટાડા બાદ રેપો રેટ 5.40 ટકા પર આવી ગયો છે. આ પહેલા રેપો રેટનો દર 5.75 ટકા હતો.
રેપો રેટ ઘડ્યા બાદ બેંકો પર હોમ અને ઓટો લોન પર વ્યાજદર ઘટાડવાનું પ્રેશર વધશે. રિવર્સ રેપો રેટ એ હોય છે કે જેના પર બેન્કોને એમના તરફથી આરબીઆઇમાં જમા ધન પર વ્યાજ મળે છે.
રેપો રેટમાં ઘટાડા પર બે સભ્યો અસહમત
આરબીઆઇ (RBI)ની 6 સભ્યોની મોનિટરી પોલિસી કમિટી (MPC)ના 2 સભ્યો ચેતન ઘટે અને પામી દુઆ, 0.35 ટકા ઘટાડાના પક્ષમાં નહોતા. એમણે 0.25 ટકાનો ઘટાડો ઇચ્છતા હતા. જોકે, અન્ય 4 સભ્યો રવિન્દ્ર ધોળકિયા, દેવબ્રત પાત્રા, બિભૂ પ્રસાદ અને ગવર્નર શક્તિકાંત દાસે આ ઘટાડાનું સમર્થન કર્યું છે.
GDP અનુમાનમાં ઘટાડો
આ દરમિયાન કેન્દ્રીય બેન્ક ચાલૂ નાણાકીય વર્ષ માટે જીડીપી (GDP)ના અનુમાનને 7 ટકાથી ઘટાડી 6.9 ટકા કરી નાંખ્યો છે. કેન્દ્રીય બેન્કો તરફથી આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે કે જ્યારે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર 5 ટ્રિલિયન ડોલરની ઇકોનોમીના લક્ષ્યને હાંસલ કરવા માટે 7 ટકાના જીડીપી ગ્રોથના પ્રયાસ કરી રહી છે. આ પહેલા જૂનમાં પણ રિઝર્વ બેન્કના ગ્રોથનું અનુમાન 7.2 ટકા ઘટીને 7.0 ટકા કરી દેવાયું હતું. રિઝર્વ બેન્ક મુજબ નાણાકીય વર્ષ 2020ની અર્ધ વાર્ષિકમાં 7.3-7.5 ટકા ગ્રોથનું અનુમાન છે.
RBIનો ઐતિહાસીક નિર્ણય
આરબીઆઇની ગત ત્રણ નાણાકીય સમીક્ષા બેઠકોમાં રેપો રેટમાં ક્રમશ: 0.25 ટકાનો ઘટાડો કરી ચૂકી છે. એટલે કે ઓગસ્ટમાં સતત ચોથી વાર કેન્દ્રીય બેન્કે રેપો રેટમાં ઘટાડો કર્યો છે. જ્યારે રિઝર્વ બેન્કના ઇતિહાસમાં પહેલીવાર જ્યારે ગવર્નરની નિયુક્તિ બાદ સતત ચાર વાર રેપો રેટમાં ઘટાડો કર્યો છે. વર્ષ 2018ના ડિસેમ્બર મહીનામાં ઉર્જિત પટેલના રાજીનામા બાદ શક્તિકાંત દાસ ગવર્નર નિયુક્ત થયા હતા. ત્યારબાદથી અત્યાર સુધીમાં 4 વાર આરબીઆઇની મીટિંગ થઇ ચૂકી છે.
સામાન્ય નાગરિકો પર શું પડશે અસર
આરબીઆઇના આ નિર્ણયનો ફાયદો એ લોકોને મળશે જે હોમ અથવા ઓટો લોનની ઇએમઆઇ ભરી રહ્યા છે. આરબીઆઇના રેપો રેટમાં ઘટાડા બાદ બેન્કો પર વ્યાજદર ઓછો કરવાનું પ્રેશર રહેશે. આરબીઆઇના સતત રેપો રેટના ઘટાડા બાદ પણ બેન્કોને આશા અનુસાર ગ્રાહકોને ફાયદો નથી પહોંચાડ્યો. આ જ કારણ છે કે હાલમાં જ નાણામંત્રી નિર્મલા સીતારમણે બેન્કોથી રેપો રેટમાં ઘટાડાનો લાભ લોન લેનારને આપવા કહ્યું હતું.