RBIની 2021ની છેલ્લી એમપીસી બેઠક આજથી શરૂ થઈ રહી છે.
RBIની મોનિટરી પોલિસી કમિટી બેઠક આજથી શરૂ
જાણો શું લેવાઈ શકે છે ફેરફારો
આ વર્ષની છેલ્લી બેઠક આજે
RBIની મૌદ્રિક નીતિ સમિતિ (મોનિટરી પોલિસી કમિટી) (MPC)ની બેઠક આજથી શરૂ થઈ રહી છે અને બુધવારે કેન્દ્રીય બેન્ક મોનિટરી પોલિસી કમિટીના પરિણામ જાહેર કરશે. RBIના ગવર્નર શક્તિકાંત દાસની આગેવાની ચાલવતી એમપીસીની બેઠકમાં નીતિગત દરોમાં ફેરફાર કરવાની સાથે ઘણા આર્થિક નિર્ણયોની સમીક્ષી કરવામાં આવશે. આ બેઠકમાં સંભાવના છે કે દુનિયાભરમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનની આશંકાઓને ધ્યાનમાં રાખતા ઘણા નિર્ણય કરવામાં આવશે.
વ્યાજદરોમાં ફેરફારની સંભાવના ઓછી
નિષ્ણાંતોનું કહેવું છે કે 8 ડિસેમ્બરે ત્રણ દિવસની બેઠકના પરિણામ આપવામાં આવશે અને આ વિશે નીતિગત દરોમાં કોઈ પણ પ્રકારના ફેરફારની સંભાવના ઓછી છે. એટલે કે આશા છે કે રિઝર્વ બેન્ક નીતિગત દરોને યથાવત રાખી શકે છે. મહત્વનું છે કે દુનિયાભરના દેશોમાં નવા ઓમિક્રોન વેરિએન્ટના દર્દી મળી રહ્યા છે અને ભારતમાં પણ તેના કેસો જોવા મળ્યા છે. જોકે અમુક રિપોર્ટોમાં આર્થિક સલાહકારોના હવાલે કહેવામાં આવ્યું છે કે આરબીઆઈ દરોમાં અમુક ફેરફાર કરી શકે છે.
આઠ એમપીસી બેઠકોમાં યથાવત રહેશે દર
ભારતીય રિઝર્વ બેન્કના નીતિગત દરોમાં ફેરફાર છેલ્લી વખત 22 મે 2020એ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ કોરોના કાળમાં આઠ વખત મૌદ્રિત નીતિ સમીક્ષા થઈ ચુકી છે અને આ બેઠકો બાદ અત્યાર સુધી કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યા, આ સમયે રેપો રેટના દર 4 ટકા પર છે અને રિવર્સ રેપો રેટ 3.35 ટરા પર બનેલો છે. આજથી શરૂ થઈ રહેલી એમપીસીની આ બેઠક આ વર્ષની છેલ્લી બેઠક છે અને ઓમિક્રોન સહિત ઘણા પરિબળો પર તેમાં વિચાર કરવામાં આવશે.
આ મુદ્દાઓ પર થઈ શકે છે વિચાર
રિપોર્ટ અનુસાર, રેપો રેટમાં ફેરફાર ઉપરાંત આ બેઠકમાં અર્થવ્યવસ્થામાં તરળતા બનાવવાની જરૂરત પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. જ્યારે ફુગાવાના દરોમાં આવનાર ઉતાર-ચઢાવને પણ કેન્દ્રમાં રાખીને બેઠકના નિર્ણય લેવામાં આવશે. ઓક્ટોબરમાં થયેલી બેઠરમાં મોનેટરી પોલિસી કમિટીના નાણાકીય વર્ષ 2021 માટે જીડીપી ગ્રોથના અનુમાનને 9.5 ટકા યથાવત રાખ્યો છે.