વૈશ્વિક મહામારીના કારણે દેશવ્યાપી લૉકડાઉનને કેન્દ્ર સરકારે 17 મે સુધી વધાર્યું છે. લૉકડાઉનની અસર ભારતીય અર્થવ્યવસ્થા પર મોટા પ્રમાણમાં થઈ રહી છે. એવામાં રિઝર્વ બેંક બેંકોની લોન પરત ખેંચવા પર લગાવવામાં આવેલા પ્રતિબંધને ત્રણ મહિના વધારવાનો વિચાર કરી રહી છે.
RBI લઈ શકે છે મોટો નિર્ણય
બેંકોની લોન પરત ખેંચવાની સમય મર્યાદામાં કરી શકે છે વધારો
ત્રણ મહિનાની વધારાની મુદત આપવાની થઈ રહી છે વિચારણા
કોરોના રોગચાળાને કાબૂમાં લેવા માટે અને લૉકડાઉનથી પ્રભાવિત લોકોને મદદ કરવા માટે કેન્દ્રીય બેંકે તેમને ત્રણ મહિના માટે બેંક લોનના હપ્તા ભરવાની છૂટ આપી છે. ઉલ્લેખનીય છે કે આ છૂટ 31 મે સુધી આપવામાં આવી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર હવે સરકારે લોકડાઉનનો સમય 17 મે સુધી લંબાવ્યો છે. એવું માનવામાં આવે છે કે લોનના હપ્તાઓની ચુકવણીમાં રાહતની મુદત હજી પણ વધારવી જોઈએ. આ સંદર્ભે ભારતીય બેંક્સ એસોસિએશન સહિતના ઘણા ક્ષેત્રો તરફથી સૂચનો કરવામાં આવ્યા છે.
મુદત લંબાવી આપવી એ વ્યવહારિક પગલું હશે
સૂત્રોએ એમ પણ કહ્યું છે કે દેશવ્યાપી લોકડાઉન 17 મે સુધી લંબાવવામાં આવવાને કારણે અર્થવ્યવસ્થા અને કમાણી આગળ વધી શકશે નહીં. આવી સ્થિતિમાં ઘણા ઉદ્યોગો, કંપનીઓ અને અન્ય લોકો તેમની લોનના હપ્તાઓ ચૂકવશે નહીં. ઉલ્લેખનીય છે કે રિઝર્વ બેંકનો ત્રણ મહિનાનો ગ્રેસ સમય 31મે ના રોજ સમાપ્ત થાય છે. દરમિયાન, જાહેર ક્ષેત્રના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે લોકડાઉન વધ્યા પછી ત્રણ મહિનાની ચુકવણી પર મુદત લંબાવી આપવી તે વ્યવહારિક પગલું હશે. તેમણે કહ્યું કે આવા મુશ્કેલ સમયમાં આવા પગલું લોન લેનારા અને બેંક બંને માટે મદદરૂપ થશે.
અગાઉ 27 માર્ચના રોજ ભારતીય રિઝર્વ બેંકે બેંકો અને નાણાકીય સંસ્થાઓને તેમના ગ્રાહકોના 1 માર્ચે બાકી રહેલા તમામ પ્રકારની મુદત લોન પર હપ્તાઓની ચુકવણી પર 3 મહિનાની મુદત આપવા જણાવ્યું હતું. રિઝર્વ બેંકના ગર્વનર શક્તિકાંત દાસે શનિવારે સાર્વજનિક અને ખાનગી ક્ષેત્રની બેંકો સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં અન્ય મુદ્દા સિવાય લોન પરત લેવા અંગે પણ ચર્ચા કરાઈ હતી.