જો તમે પણ ઑનલાઇન પેમેન્ટનો વધારે ઉપયોગ કરો છો અને ઘણી વખત પેમેન્ટ ફેલ થવા પર પરેશાન થઇ જાવ છો તો તમારા માટે સારા સમાચાર છે. રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા જલ્દીથી ઑનલાઇન પેમેન્ટ કરનાર ગ્રાહકોની સુવિધા માટે નવો નિયમ આવવાનો છે. આ નિયમ આવ્યા બાદ ઑનલાઇન ફેલ ટ્રાન્ઝેક્શનની ફરિયાદનું સમાધાન એક નક્કી કરેલા સમયની અંદર કરવામાં આવશે કારણ કે ઇલેક્ટ્રોનિક પેમેન્ટ સિસ્ટમ પર લોકોનો ભરોસો રહે.
આ માટેની જાણકારી આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસે પોતાની મૉનેટરી પોલિસી ભાષણમાં આપી. એમને કહ્યું કે ઇલેક્ટ્રોનિક પેમેન્ટ સિસ્ટમમાં ફરિયાદનું નિવારણ ફટાફટ કરવામાં આવશે અને વળતર માટે નવો નિયમ લાવવામાં આવશે.
એમને જણાવ્યું ઑનલાઇન પેમેન્ટને લઇને આરબીઆઇ જૂન 2019ના અંત સુધી નવો નિયમ જારી કરશે ત્યારબાદ એ નિયમથી ફેલ થયેલા પેમેન્ટની ફરિયાદનું સમાધાન કરવામાં આવશે. નવો નિયમ તમામ પ્રકારના ઑનલાઇન પેમેન્ટ પર લાગૂ થશે.
દાસે આગળ કહ્યું કે આમ તો ઑનલાઇન પેમેન્ટમાં ફેલ થયેલા ટ્રાન્ઝેક્શન માટે હજુ પણ કડક નિયમ છે પરંતુ કોઇ એવો નિયમ નથી જે તમામ પર એક સાથે લાગૂ થાય. પરંતુ નવો નિયમ આવ્યા બાદ તમામ ઑનલાઇન પેમેન્ટ પર એક જ નિયમ લાગૂ થશે અને ફરિયાદોનું સમાધાન એક જ નિયમથી થશે.
તો બીજી બાજુ RBI એ કહ્યું કે ભારતીય પેમેન્ટ સિસ્ટમ અને ઇન્સ્ટ્રૂમેન્ટ સ્તર બનાવવા પર કામ કરવામાં આવી રહ્યું છે. એની સમગ્ર જાણકારી આવતા મહિના એટલે કે મે મહિનામાં આપવામાં આવશે.