રિઝર્વ બેંકે આજે તેની નાણાકીય નીતિ સમીક્ષામાં નીતિ દરોમાં કોઈ જ ફેરફાર કર્યો નથી અને રેપો રેટને 4 ટકા પર જાળવી રાખ્યો છે.
વ્યાજ દરોમાં કોઈ જ ફેરફાર નહીં
રેપો રેટ 4 ટકા પર યથાવત
ભૌગોલિક રાજકીય તણાવ ઘણી અર્થવ્યવસ્થાઓને અસર કરી રહ્યો છે : RBI
6 એપ્રિલના રોજ શરૂ થયેલી ભારતીય રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી (RBI Monetary Policy) કમિટીની બેઠકનો આજે અંતિમ દિવસ હતો. ત્યારે રિઝર્વ બેંકે આજે નાણાકીય વર્ષ 2022-23 માટે પ્રથમ ક્રેડિટ પોલિસી જાહેર કરી દીધી છે. રિઝર્વ બેંકે પોતાની નાણાકીય નીતિ સમીક્ષામાં નીતિ દરોમાં કોઈ જ ફેરફાર કર્યો નથી અને રેપો રેટને 4 ટકા પર જાળવી રાખ્યો છે. જો કે, રિવર્સ રેપો રેટમાં 40 બેસિસ પોઈન્ટનો વધારો કરીને 3.75 ટકા કરવામાં આવ્યો છે. તો કેશ રિઝર્વ રેશિયો પણ 4 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે આ સતત 11મી મોનેટરી પોલિસી છે જેમાં RBIએ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી.
Monetary Policy statement by Shri Shaktikanta Das, Governor, Reserve Bank of India https://t.co/8w892tXAnX
RBI ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું કે, 'ભૌગોલિક રાજકીય તણાવ ઘણી અર્થવ્યવસ્થાઓને અસર કરી રહ્યો છે. રશિયા-યુક્રેન યુદ્ધથી ભારત પણ પ્રભાવિત થઈ શકે છે અને આપણા આર્થિક વિકાસ પર તેની નકારાત્મક અસર પડી શકે છે, આથી ભારત માટે આ એક પડકારજનક સમય છે.'
While the pandemic quickly morphed from a health crisis to one of life & livelihood, conflict in Europe has the potential to derail the global economy: RBI Governor Shaktikanta Das
તમને જણાવી દઇએ કે, હાલમાં પણ વર્તમાન રેપોરેટ 4.00 ટકા જ છે.
Monetary Policy Committee met on 6th, 7th and 8th April. Based on an assessment of the macro-economic situation and the outlook, MPC voted unanimously to keep the Policy Repo Rate unchanged at 4%: RBI Governor Shaktikanta Das pic.twitter.com/KCEsp4BnMU
તમને જણાવી દઇએ કે, અમેરિકા સહિત વિશ્વના અનેક દેશોમાં વ્યાજના દરોમાં વધારો કરવાની જાહેરાત કરી દેવાઇ છે. ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં લોન લેવી ખૂબ મોંઘી થઇ છે. પાકિસ્તાનની કેન્દ્રીય બેંકે વ્યાજના દરોમાં ભારે ધરખમ વધારો કરતા તેને 2.50 ટકાથી ડાયરેક્ટ 12.25 કરી દીધા છે.
10 વખતથી નથી બદલાયા વ્યાજના દર
ચાલુ નાણાકીય વર્ષમાં મોનેટરી પોલિસી કમિટીની આ પ્રથમ બેઠક છે. અગાઉની 10 બેઠકોમાં સમિતિએ રેપો રેટ અને રિવર્સ રેપો રેટના નીતિગત વ્યાજ દરો યથાવત રાખ્યા છે. RBIએ છેલ્લે 22 મે 2020 નાં રોજ રેપો રેટમાં ઘટાડો કર્યો હતો ત્યારથી તે 4% નાં પોતાના ઐતિહાસિક નીચલા સ્તરે જ યથાવત રહ્યો છે.