જો તમારા ખિસ્સામાં ડેબિટ અને ક્રેડિટ કાર્ડ્સ છે પણ તમે તેનો ઉપયોગ નથી કરી રહ્યા તો આ સમાચાર તમારા કામના છે. RBIની નવી ગાઈડલાઈન્સ બાદ આનાથી જોડાયેલી ખાસ સુવિધામાં ફેરફાર થવા જઈ રહ્યો છે. ભારતીય રિઝર્વ બેંકે ડેબિટ અને ક્રેડિટ કાર્ડ આપતી કંપનીઓને સૂચના આપી છે કે, જો ગ્રાહક ઓનલાઈન લેવડદેવડ માટે આ કાર્ડ્સનો ઉપયોગ ન કરે તો આવા કાર્ડ્સની સર્વિસને બંધ કરી દેવી.
RBIની નવી ગાઈડલાઈન્સ
ડેબિટ અને ક્રેડિટ કાર્ડ્સની સુવિધામાં થશે બદલાવ
અનયુઝ્ડ પડી રહેલાં કાર્ડ્સ થઈ જશે બંધ
15 જાન્યુઆરી 2020ના એક સ્ટેટમેન્ટમાં કેન્દ્રીય બેંકે કાર્ડ ઈશ્યૂ કરનારી કંપનીઓને કહ્યું કે, જો કોઈ પણ કાર્ડનો ઉપયોગ લાંબા સમયથી ઓનલાઈન લેવડદેવડ માટે કરવામાં નથી આવી રહ્યો તો તેને ફરજિયાત બંધ કરી દેવાશે. આ સાથે જ ગત બુધવારે આરબીઆઈએ આ કાર્ડની સુરક્ષાને લઈને ગાઈડલાઈન્સ જાહેર કરી હતી. RBIની ગાઈડલાઈન્સ મુજબ, જો કાર્ડ ઈશ્યૂ કરનારને શંકા હોય કે, કોઈ ડોમેસ્ટિક અથવા આંતરરાષ્ટ્રીય કાર્ડ્સ પર જોખમ છે તો તે આ કાર્ડને બંધ કરી શકે છે.
આ સુવિધા તમામ ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય કંપની પર લાગુ થશે
આરબીઆઈની સૂચના મુજબ, ભારતમાં કોઈ પણ કાર્ડને ઈશ્યૂ અથવા રિ-ઈશ્યૂ કરતી વખતે તેમને કોન્ટેક્ટ આધારિત પોઈન્ટ્સ એટલે કે એટીએમ કે PoS માટે જ જાહેર કરવા જોઈએ. જ્યારે કાર્ડ આપનાર કોન્ટેક્ટલેસ સુવિધા માટે કાર્ડહોલ્ડરને આ વાતનો વિકલ્પ આપી શકે છે કે, તે પોતાની સુવિધા મુજબ તેને ચાલુ કે બંધ કરી શકે. આ સુવિધા તમામ ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય કંપની પર લાગુ થશે.
કાર્ડ ઈશ્યૂ કરનાર હવે આ સુવિધાઓ આપશે
તમામ ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય લેવડદેવડ પર કેટલીક સુવિધાઓ શરૂ કે બંધ કરવાનો વિકલ્પ મળશે. તેમાં કાર્ડની લિમિટ નક્કી કરવાથી લઈને કોન્ટેક્ટ અને કોન્ટેક્ટલેસ લેવડદેવડની સુવિધા પણ સામેલ છે.
આ સુવિધા મલ્ટીપલ ચેનલ્સ પર 24/7 આપવામાં આવશે. કાર્ડહોલ્ડર આ સુવિધાઓને મોબાઈલ એપ, ઈન્ટરનેટ બેંકિંગ, એટીએમ, ઈન્ટરેક્ટિવ વોઈસ રિસ્પોન્સ એટલે કે આઈવીઆર દ્વારા પણ ઉપલબ્ધ થશે. આ સુવિધાઓ બેંકોની બ્રાંચ પર પણ ઉપલબ્ધ હશે.
RBIનું કહેવું છે કે, કાર્ડ ઈશ્યૂ કરનારને આ સુવિધાઓ શરૂ કરવા કે બંધ કરવા સમયે એલર્ટ કે જાણકારી આપવી પડશે. આ એલર્ટ એસએમએસ અથવા ઈ-મેલ દ્વાર મોકલી શકાય છે.