RBIએ તમામ બેંકના ગ્રાહકો માટે ખૂબ મહત્વની જાણકારી શેર કરી છે. જાણી લો નહીં તો થશે નુકસાન.
RBIએ તમામ બેંકના ગ્રાહકોને કર્યા એલર્ટ
આ ભૂલ કરશો તો થશે મોટું નુકસાન
ડિજિટલ પેમેન્ટ વધવાથી છેતરપિંડીના મામલા પણ સતત વધી રહ્યાં છે
દેશમાં ડિજિટલ પેમેન્ટ વધવાની સાથે છેતરપિંડીના મામલા પણ સતત વધી રહ્યા છે. એવામાં ગ્રાહકોને ફ્રોડથી બચવા માટે RBIએ ચેતવણી જાહેર કરી છે. રિઝર્વ બેંકે ટ્વિટ કરીને કહ્યું છે કે તેને એવા પ્રકારની ફરિયાદ મળી રહી છે કે બેંકના ગ્રાહકોને કેવાયસી અપડેટ કરવાના નામે છેતરપિંડીના શિકાર બનાવવામાં આવી રહ્યાં છે. RBI કહે છે કે તમે પોતાના કાર્ડનો ખૂબ જ સાવધાનીપૂર્વક ઉપયોગ કરો. એટીએમ/ડેબિટ કાર્ડની વિગતો કોઈને પણ જણાવશો નહીં.
RBIનું કહેવું છે કે ગ્રાહકોને ફોન, એસએમએસ અને ઇમેલ મોકલીને તેમની પાસેથી વ્યક્તિગત જાણકારી શેર કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. તેમાં લોગિન ડિટેલ, કાર્ડની જાણકારી, પિન અને ઓટીપી સામેલ છે. બેંક ગ્રાહકોને લિંક મોકલીને KYC અપડેટ કરવા માટે Unauthorized કે પછી Unverified એપ ઇન્સ્ટોલ કરવા માટે પણ કહી શકે છે.
KYC અપડેટ ન થતાં બ્લોક થઈ જશે એકાઉન્ટ
SMS અને Email મોકલીને ગ્રાહકોને કહેવામાં આવી રહ્યું છે કે જો તેમણે કેવાયસી અપડેટ નથી કરાવ્યું તો તેમનું એકાઉન્ટ ફ્રીઝ, બ્લોક કે બંધ કરી દેવામાં આવી શકે છે. એવામાં કસ્ટમર કોલ, મેસેજ કે ગેરકાયદેસર રીતે પોતાની જાણકારી શેર કરશો તો ફ્રોડર્સને તેમના એકાઉન્ટનો એક્સેસ મળી જશે અને તેઓ ગ્રાહકને ચૂનો લગાવી શકે છે.
એકાઉન્ટ બ્લોક થવાને લઈ RBIએ કહી આ વાત
RBI કહેવું છે કે રેગ્યુલેટેડ એન્ટીટીઝને સમયાંતરે કેવાયસી અપડેટ કરાવવું પડે છે પરંતુ આ પ્રક્રિયાને સરળ બનાવવી જરૂરી છે. કેન્દ્રીય બેંકે કહ્યું કે જો કોઈ કસ્ટમરાના એકાઉન્ટનું પીરિયોડિક અપડેશન થયું છે તો 31 ડિસેમ્બર, 2021 સુધી તેમના એકાઉન્ટમાં માત્ર આ કારણથી કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે જ્યાં સુધી કોઈ રેગ્યુલેટર/ફન્ફોર્મમેન્ટ એજન્સી/કોર્ટના નિર્દેશ પર આવું કરવું જરૂરી ન હોય.