ભારતીય રિઝર્વ બેંકે ફરી એક વાર છેતરપિંડીને લઈને ચેતવણી જારી કરી છે. ચાલો જાણીએ.
ભારતીય રિઝર્વ બેંકે ફરી એક વાર છેતરપિંડીને લઈને ચેતવણી જારી કરી
ફ્રોડર્સ ઘણી રીતે ગ્રાહકો સાથે છેતરપિંડી કરી રહ્યાં છે
આરબીઆઈએ આ નંબરો શેર કરવાનો ઈન્કાર કર્યો છે
કેન્દ્રીય બેંકે ગ્રાહકોને આવા લોકો દ્વારા કરવામાં આવતા નવા નવા ફ્રોડ બચવા કહ્યું છે. સાથે જ પોતાની પર્સનલ જાણકારી કોઈની પણ સાથે શેર ન કરવાનું કહ્યું છે. તમને જણાવી દઈએ કે, આ પહેલાં આરબીઆઈએ જૂની નોટો અને સિક્કાના વેચાણનેલઈને ગ્રાહકોને સાવધાન કર્યા હતા. ફ્રોડર્સ ઘણી રીતે ગ્રાહકો સાથે છેતરપિંડી કરી રહ્યાં છે. તો ચાલો જાણીએ આ છેતરપિંડીથી કઈ રીતે બચી શકાય છે.
RBI એ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરીને ગ્રાહકોને કહ્યું છે કે, તમારી બેંક વિગતો જેમ કે PIN નંબર, CVV, ઓટીપી કોઈની સાથે શેર કરવું નહીં.
આ રીતે છેતરપિંડી થાય છે
સાયબર ગુનેગારો છેતરપિંડી કરવા માટે બેંક અથવા નાણાકીય કંપનીના (800 123 1234) ટોલ ફ્રી નંબર 1800 123 1234 જેવો જ નંબર 800 123 1234 મેળવી લે છે, જે બાદ આરોપી આ નંબર ટ્રુકોલર અથવા અન્ય કોઇ એપ્સ પર બેંક કે નાણાકીય કંપનીના નામે નોંધાવે છે. આવી સ્થિતિમાં, જો તમે ટ્રુકોલરની મદદથી કોઈ બેંક અથવા નાણાકીય કંપનીને ફોન કરો છો, તો ઘણી વખત આ ફોન સાયબર ક્રિમિનલ પાસે જાય છે અને તેઓ તમારી પાસેથી તમારી બધી માહિતી મેળવે છે અને સાયબર ક્રાઈમ કરે છે.
આ પ્રકારની છેતરપિંડીથી બચો
જો તમે કોઈ પણ બેંક અથવા નાણાકીય કંપનીને ફોન કરવા જઈ રહ્યાં છો તો તમારી પાસે તેના ટ્રોલ ફ્રી નંબર વિશે સંપૂર્ણ માહિતી હોવી જોઈએ. સાથે જ તમારી બધી માહિતી કોઈપણ બેંકના ટોલ ફ્રી નંબર પર ક્યારેય શેર કરવી નહીં.