રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા મહાત્મા ગાંધીની નવી સિરીઝમાં રૂ. 200 અને રૂ. 500ની નવી નોટો જારી કરશે. સાથેસાથે RBIએ એવી પણ સ્પષ્ટતા કરી છે કે રૂ. 200 અને 500ની જૂની નોટો કાયદેસર ચલણ તરીકે બજારમાં ચાલુ રહેશે.
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)એ જણાવ્યું હતું કે રૂ. 200 અને 500ની નવી નોટો પર RBIના વર્તમાન ગવર્નર શક્તિકાંત દાસની સહી હશે. તેની ડિઝાઇન મહાત્મા ગાંધી (નવી) સિરીઝમાં અગાઉ જારી કરાયેલ સંબંધિત નોટો જેવી જ હશે.
Issue of ₹ 500 Denomination Banknotes in Mahatma Gandhi (New) Series bearing the signature of Shri Shaktikanta...https://t.co/Qj2rTFvUIr
આ ઉપરાંત રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા મહાત્મા ગાંધી (નવી) સિરીઝમાં રૂ. 50ની પણ નવી નોટ જારી કરશે, જેની જાહેરાત થોડા દિવસ પહેલા કરાઇ હતી. રૂ. 50ની નોટની ડિઝાઇન પણ મહાત્મા ગાંધી (નવી) સિરીઝની અન્ય નોટો જેવી જ હશે. તેમાં પણ એવી સ્પષ્ટતા કરાઇ છે કે અગાઉ જારી કરાયેલ રૂ. 50ની નોટ માર્કેટમાં કાયદેસર ચલણ તરીકે ચાલુ જ રહેશે.
આ પહેલા રિઝર્વ બેંક 100 રૂપિયાની નોટમાં નવા બદલાવની સાથે જારી કરી હતી. RBIએ નવા ગવર્નર શક્તિકાંત દાસની સહીવાળા 100 રૂપિયાની નવી નોટ જરી કરી હતી. રિઝર્વ બેંકે સ્પષ્ટ કર્યુ કે, આ પહેલાની 100 રૂપિયાના મૂલ્યની તમામ બેંકોમાં નોટ ચલણમાં જ છે. ડિસેમ્બર 2018માં ઉર્જિત પટેલે આપેલા અચાનક રાજનામા પછી શક્તિકાંત દાસે રિઝર્વ બેંકનું ગર્વનર પદ સંભાળ્યુ હતુ.