રિઝર્વ બેંક મુજબ જોખમ વગર ફંડ ટ્રાન્સફર કરવા માટે ભારે ખર્ચની સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવાની જરૂર હોય છે. તો તેને ચલાવવા માટે પણ રકમ જરૂરી હોય છે.
યુપીઆઈ દ્વારા ફંડ ટ્રાન્સફર કરવો મોંઘો થઇ શકે છે
ભારતીય રિઝર્વ બેંક ફંડ ટ્રાન્સફર પર ફી લઇ શકે
બેંકે ફીને લઇને લોકો પાસેથી સલાહ માંગી
હવે ફંડ ટ્રાન્સફર કરવો મોંઘો થઇ શકે
આગામી સમયમાં યુપીઆઈ દ્વારા ફંડ ટ્રાન્સફર કરવો મોંઘો થઇ શકે છે. ભારતીય રિઝર્વ બેંક યુપીઆઈ આધારિત ફંડ ટ્રાન્સફર પર ફી લઇ શકે છે. ફંડ ટ્રાન્સફર પર થતા ખર્ચને કાઢવા માટે રિઝર્વ બેંક આ યોજના પર વિચાર કરી રહ્યું છે. રિઝર્વ બેંકે ડિસ્કશન પેપર ઑન ચાર્જિસ ઈન પેમેન્ટ સિસ્ટમ જાહેર કરી છે અને ફીને લઇને લોકો પાસેથી સલાહ માંગી છે.
ખર્ચની વસુલાત માટે નિર્ણય યોગ્ય
રિઝર્વ બેંકે આ પેપરમાં કહ્યું છે કે ઑપરેટરના રૂપમાં રિઝર્વ બેંકને આરટીજીએસમાં મોટુ રોકાણ અને ઑપરેટિંગ કૉસ્ટની ભરપાઈ કરવાની છે. બેંક મુજબ જેમાં જાહેર ધન લગાવેલુ છે, જેનો ખર્ચ કાઢવો જરૂરી છે. તો રિઝર્વ બેંકે સ્પષ્ટતા કરી છે કે રીયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ એટલેકે આરટીજીએસમાં લગાવવામાં આવેલી ફી કમાણીનુ સાધન નથી. પરંતુ આ ફીથી સિસ્ટમ પર થતા ખર્ચને નિકાળવામાં આવશે. જેનાથી આ સુવિધા કોઈ અડચણ વગર ચાલુ રહે. પેપરમાં સ્પષ્ટ રીતે પૂછવામાં આવ્યું છે કે શું આ પ્રકારની સેવાઓ પર ફી ના લગાવવી બરોબર છે. રિઝર્વ બેંક મુજબ સેવામાં બેંક લાભ જોતો નથી પરંતુ સેવાના ખર્ચની વસૂલાત કરવી યોગ્ય છે.
ફી માટે શું છે રિઝર્વ બેંકના તર્ક
પેપર મુજબ યુપીઆઈ પૈસાના રિયલ ટાઈમ ટ્રાન્સફરને નક્કી કરે છે. તો આ રિયલ ટાઈમ સેટલમેન્ટને પણ નક્કી કરે છે. કેન્દ્રીય બેંક મુજબ આ સેટલમેન્ટ અને ફંડ ટ્રાન્સફરને કોઈ પણ જોખમ વગર નક્કી કરવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવાની જરૂર પડે છે. જેમાં વધુ ખર્ચ આવે છે.