ભારત અને અમેરિકા બંને દેશોમાં મોંઘવારી ચિંતાનો વિષય બની છે. યૂએસ ફેડ સાથે આરબીઆઈ તરફથી વ્યાજ દર વધારવાની આશા છે.
હવે વધશે લોનની EMI
વ્યાજ દરમાં વધારો નક્કી માનવામાં આવે છે
નીતિગત દરમાં સતત ત્રણ વાર વધારો થઇ ચુક્યો છે
ભારત બાદ અમેરિકામાં પણ રિટેલ મોંઘવારી દરના આંકડાઓ સામે આવી ગયા છે. બંને દેશોમાં મોંઘવારી ચિંતાનો વિષય બની છે. આની અસર બંને દેશોમાં જોવા મળશે. યૂએસ ફેડ સાથે આરબીઆઈ તરફથી વ્યાજ દર વધારવાની આશા છે, જેની અસર ઈએમઆઈ ભરી રહેલા બેંક ગ્રાહકો પર પડશે. આનાથી હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન પહેલાનાં મુકાબલામાં મોંઘા થઇ જશે. જો તમે લોન પર પહેલાથી જ ઘર રાખ્યું છે તો તમારે વધારે ઈએમઆઈ ચુકવવું પડશે.
મોંઘવારીનો માર
અમેરિકામાં મોંઘવારી દરનાં રેકોર્ડ લેવલ પર ચાલવાને કારણે તેની અસર અમરીકી શેર બજારની સાથે જ ભારતીય શેર બજાર પર પણ જોવા મળવાની આશા છે. ભારતમાં 12 સપ્ટેમ્બરનાં રોજ જાહેર ઓગસ્ટ મહિનાનો રિટેલ મોંઘવારીનો આંકડો વધીને 7 ટકા પર પહોંચી ગયો છે. આ જુલાઈમાં 6.7 ટકા હતો. ગત ત્રણ મહિનાથી રિટેલ મુદ્રાસ્ફીતિમાં ઘટાડો જોવા મળ્યો છે. ગત વર્ષે આ આંકડો 5.૩ ટકા પર હતો. બીજી બાજુ મંગળવારે અમેરિકામાં સીપીઆઈ ડેટા પણ જાહરે થયો. આ અનુસાર, મંથલી સીપીઆઈ ઓગસ્ટમાં ૮.૩ ટકાનાં દરથી વધી. અહીં જૂનમાં 40 વર્ષની સૌથી વધારે મોંઘવારી 9.1 ટકા નોંધવામાં આવી છે.
વ્યાજ દરમાં વધારો નક્કી માનવામાં આવે છે
અમેરિકાનાં ફ્રેશ સીપીઆઈ ડેટાથી યૂસી ફેડ રીઝર્વ તરફથી વ્યાજ દરમાં ૦.75 ટકાનો વધારો નક્કી માનવામાં આવે છે. ફેડ તરફથી આવતા અઠવાડિયે 21 સપ્ટેમ્બરના રોજ થનાર બેઠકમાં વ્યાજ દરમાં ફેરફારોની ઘોષણા કરવામાં આવશે. યૂએસ ફેડ તરફથી આ વર્ષે ચાર વાર વ્યાજ દરમાં બદલાવની ઘોષણા કરવામાં આવી છે. જણાવી દઈએ કે કોઈપણ દેશમાં મોંઘવારીને કાબૂમાં કરવા માટે એ દેશની કેન્દ્રીય બેંક વ્યાજ દરમાં વધારો કરે છે. ભારતમાં પણ મે થી અત્યાર સુધી ત્રણ વાર વ્યાજ દર વધારવામાં આવ્યા છે.
નીતિગત દરમાં સતત ત્રણ વાર વધારો
બીજી બાજુ મુદ્રાસ્ફીતિમાં વધારાઓ થવાથી ભારતીય રીઝર્વ બેંક આ મહીને પેશ થનાર મૌદ્રિક નીતિ સમીક્ષામાં રેપો રેટ વધારી શકે છે. સરકારે આરબીઆઈને રિટેલ મુદ્રાસ્ફીતિ બે ટકા ઘટાડા- વધારા સાથે ચાર ટકા પર રાખવા પર જવાબદારી આપેલી છે. રીઝર્વ બેંકનાં ગવર્નરની અધ્યક્ષતા વાળી મૌદ્રિક નીતિ સમિતિની બેઠક 28-૩૦ સપ્ટેમ્બર દરમિયાન થશે. સતત ત્રણ વાર નીતિગત દરમાં 1.40 ટકાનો વધારો કરવામાં આવી ચુક્યો છે. ઇક્રાના મુખ્ય અર્થશાસ્ત્રી અદિતિ નાયરે જણાવ્યું હતું કે માસિક ધોરણે છૂટક મોંઘવારી વધવાનું મુખ્ય કારણ ખાદ્ય ચીજોના ભાવમાં વધારો છે. એવો અંદાજ છે કે સપ્ટેમ્બર 2022ની નાણાકીય નીતિ સમીક્ષામાં MPC 0.5 ટકા વધશે.