બેન્કિંગ રેગ્યુલેટર આરબીઆઈએ મંગળવારે નોન બેન્કિંગ ફાયનાન્સ એટલેકે NBFC કંપનીઓ માટે કડક નિયમો જાહેર કર્યા છે. આ નિયમો લાગુ થયા બાદ ખબર પડશે કે NBFC કંપનીની સુવિધા બગડી રહી છે કે પછી તે વ્યાપાર કરવા માટે યોગ્ય છે.
RBI એ NBFC કંપનીઓ માટે કડક નિયમો જાહેર કર્યા
NBFC કંપનીઓને ત્રણ અલગ-અલગ પેરામીટર પર પરખવામાં આવશે
રિઝર્વ બેંકના આ પગલાથી NGFC સેક્ટરમાં અનુશાસન વધશે
આ ત્વરીત સુધારાત્મક કાર્યવાહી એટલેકે પીસીએ નિયમો લાગુ થયા બાદ કોઈ પણ NBFC કંપનીને ત્રણ અલગ-અલગ પેરામીટર પર પરખવામાં આવશે.
ત્રણ અલગ-અલગ પેરામીટર પર રાખવામાં આવશે
પહેલા પેરામીટર પર અસફળ થયા બાદ રીઝર્વ બેંક NBFCના ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન પર પ્રતિબંધ લગાવી શકે છે અને આ સાથે પ્રોમોટર્સને પૈસા નાખવા માટે કહી શકાય છે. બીજા પેરામીટર પર નિષ્ફળ થવાથી કંપનીને નવી બ્રાન્ચ ખોલવા ઉપર પ્રતિબંધ લગાવી શકાય છે અને આ સાથે વ્યાપાર વિસ્તાર પર પણ પ્રતિબંધ રહેશે અને ત્રીજા પેરામીટર પર અસફળ થયા બાદ રિઝર્વ બેંક NBFC કંપનીની સુવિધા સારી થયા બાદ વ્યાપાર પર પ્રતિબંધ લગાવી શકે છે.
નવો નિયમ આવતા વર્ષે ઓક્ટોબરથી લાગુ
નવો નિયમ લાગુ થયા બાદ રિઝર્વ બેંક NBFC કંપનીને પીસીએની શ્રેણીમાંથી ત્યારે બહાર કરશે જ્યારે તેને લાગશે કે વેપાર કરવા માટે કંપનીની સુવિધા સારી છે. આ નવો નિયમ આવતા વર્ષે ઓક્ટોબરથી લાગુ થઇ રહ્યો છે અને જાણકારોનું માનવુ છે કે રિઝર્વ બેંકના આ પગલાથી NGFC સેક્ટરમાં અનુશાસન વધશે. જાણકારો એવુ પણ માની રહ્યાં છે કે આ નિયમ સેક્ટર માટે બચાવકારી સિદ્ધ થશે. ખરેખર, છેલ્લાં ત્રણ વર્ષમાં 4 મોટી NBFC કંપનીઓમાં સામે આવેલી ગડબડ બાદ આ સેક્ટરમાં ફેરફારની શક્યતા સેવાઈ રહી છે અને આ આશાને પૂરી કરતા રિઝર્વ બેન્કે આ નવા નિયમ જાહેર કર્યા છે.