RBIએ નોન-બેંકિંગ ફાઈનાન્સ એટલે કે NBFC કંપનીઓ માટે કડક નિયમો જારી કર્યા છે. આ નિયમો લાગુ થયા બાદ સ્પષ્ટપણે જાણી શકાશે કે NFBC કંપનીની સ્થિતિ કેવી છે.
આરબીઆઈએ કરી મોટી જાહેરાત
નવા નિયમ લાગૂ થશે
નોન બેંકીંગ ફાઈનાન્સ કંપનીઓને ચેતવણી
RBIએ નોન-બેંકિંગ ફાઈનાન્સ એટલે કે NBFC કંપનીઓ માટે કડક નિયમો જારી કર્યા છે. આ નિયમો લાગુ થયા બાદ સ્પષ્ટપણે જાણી શકાશે કે NFBC કંપનીની સ્થિતિ કેવી છે. ઈન પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન (PCA) નિયમોના અમલ પછી, NBFC કંપનીનું 3 અલગ-અલગ પરિમાણો પર પરીક્ષણ કરવામાં આવશે. ચાલો તેના વિશે જાણીએ સમગ્ર વિગત.
આ પગલા ભરી શકે છે આરબીઆઈ
આ નિયમ અનુસાર હવે પહેલા પૈરામીટર પર નિષ્ફળ થયા બાદ રિઝર્વ બેંક NBFCના ડિવિડેંટ ડિસ્ટ્રિબ્યૂશન પર રોક લગાવી શકે છે. એટલુ જ નહીં પ્રોમોટર્સના પૈસા નાખવા માટે પણ આરબીઆઈ તરફથી કહેવાય શકે છે. તો વળી બીજા પૈરામીટર પર નિષ્ફળ થવા પર આરબીઆઈ કંપનીને નવી બ્રાંન્ચ ખોલવા પર રોક લગાવી શકે છે સાથે જ બિઝનેસ વિસ્તાર પર પણ રોક લાગી શકે છે. તો વળી ત્રીજા પૈરામીટર પર નિષ્ફળ થયા બાદ બેંક NBFC કંપનીની હાલત યોગ્ય ન હોવા પર બિઝનેસ પર રોક લગાવી શકે છે.
ક્યારથી લાગૂ થશે આ નિયમ
આપને જણાવી દઈએ કે, નવા નિયમ લાગૂ થયા બાદ રિઝર્વ બેંક NBFC કંપનીની પીસીએ શ્રેણી અંતર્ગત બહાર કરશે અને જ્યારે તેમને લાગશે કે, બિઝનેસ કરવા માટે કંપની યોગ્ય છે. આ નવા અને સખ્ત નિયમ આ વર્ષે ઓક્ટોબરથી લાગૂ થઈ શકે છે. એક્સપર્ટનુનં માનવું છે કે, રિઝર્વ બેંકના આ પગલાથી NBFC સેક્ટરની સ્થિતિ સુધરશે.
નિયમ લાગૂ કરવા પાછળનો ઉદ્દેશ્ય
એક્સપર્ટનું પણ એવું જ માનવું છે કે, આ નિયમ સેક્ટર માટે લાભકારક સાબિત થશે. હકીકતમાં છેલ્લા 3 વર્ષમાં 4 મોટી NBFC કંપનીઓ ભારે મોટી ભૂલ કરી છે. આ નિયમ લાગૂ થયા બાદ આ સેક્ટરમાં સુધારની આશા સેવવામાં આવી રહી છે. આરબીઆઈ પણ આ નિયમોને આ આશા સાથે જાહેર કરી દીધી છે.