સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમમાં હવે મોટો ફેરફાર થયો છે જેનાથી રોકાણકારોને ફાયદો થશે.
સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમમાં હવે મોટો ફેરફાર
રોકાણકારોને થશે ફાયદો
આરબીઆઈએ આ સ્કીમ સાથે સંબંધિત રોકાણકારોની ફરિયાદોના સમાધાન માટે સિસ્ટમ તૈયાર કરી
નરેન્દ્ર મોદી સરકારે વર્ષ 2015માં સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમની શરુઆત કરી હતી. આ સ્કીમમાં હવે મોટો ફેરફાર થયો છે. ભારતીય રિઝર્વ બેન્કના અનુસાર સોવરેન ગોલ્ડ બોન્ડ સાથે સંબંધિત રોકાણકારોની ફરિયાદોના સમાધાન માટે પ્રક્રિયાને યોગ્ય કરવામાં આવી છે . હવે રોકાણકારો પણ ફરિયાદ કરી શકે છે.
ફરિયાદ કરવાની રીત
રિઝર્વ બેંકે જણાવ્યું કે પ્રક્રિયાને વધારે દક્ષ બનાવવા માટે આરોના નોડલ અધિકારી પહેલા સંપર્ક બિંદુ હશે. અહીં આરઓ થી મતલબ બેંક, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિ. (એસસીએચઆઈએલ), નક્કી ડાક કાર્યાલય અન માન્યતા પ્રાપ્ત શેર બજારોથી છે. રિઝર્વ બેકે કહ્યું કે જો આ મુદ્દાનું સમાધાન નહીં થાય તો. આરઓમાં પ્રસાર ઢાંચાના માધ્યમથી ગ્રાહકોની ફરિયાદને પહોંચી વળવામાં આવશે.
રિઝર્વ બેકને ફરિયાદ
કેન્દ્રીય બેંકે કહ્યું કે જો આરઓને ફરિયાદ કર્યાના એક મહિનામાં કોઈ જવાબ ન મળે અથવા રોકાણ આરઓના જવાબથી સંતુષ્ટ નથી તો રોકાણકાર [email protected] પર ફરિયાદ કરી શકે છે.
આ યોજના નવેમ્બર 2015માં શરુ થઈ હતી
ઉલ્લેખનીય છે કે સોવરેન ગોલ્ડ બોન્ડમાં પ્રત્યેક નાણા વર્ષમાં ન્યૂનતમ 1 ગ્રામ સોના માટે રોકાણની પરવાનગી છે. ત્યારે વ્યક્તિગત લોકો વધારેમાં વધારે 4 કિલો, એચયૂએફ માટે 4 કિલો ગ્રામ, ન્યાસો માટે 20 કિલોગ્રામ સુધી રોકાણ કરી શકે છે.
હકિકતમાં આ યોજના નવેમ્બર 2015માં શરુ થઈ હતી. આ ઉપરાંત તેનો હેતુ સોનાની ફિઝિકલ માંગમાં ઘટાડો લાવવા અને તેને ખરીદવામાં ઉપયોગમાં આવનારી ઘરેલુ બચતને નાણા બચતમાં સ્થાનાંતરિત કરવાનો હતો. આ યોજના હેઠળ ગોલ્ડ બોન્ડ ખરીદી શકાય છે. રિઝર્વ બેન્ક આની કિંમત નક્કી કરે છે.