શું તમારુ ખાતુ PNB કે BOIમાં છે? BOI અને PNBના ગ્રાહકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે.
BOIએ દર્શાવ્યા ખોટા નાણાકીય રીપોર્ટ
બેંકના ગ્રાહકો પર શું રેહશે આ દંડની અસર
RBIએ માંગ્યા બેંક પાસેથી જવાબ
2019માં ખોટા નાણાકીય રીપોર્ટ દર્શાવવાના કારણે BOI અને PNBને RBIએ કરોડોનો દંડ ફટકાર્યો છે. RBI ભારતની કોઇ પણ બેઁક નિયમ તોડે તો તેને દંડ કરે છે અને નિયમોના ઉલ્લંઘનને લઇને સખ્ત બની છે.
RBIએ સખ્ત વલણ અપનાવીને બંને બેઁકને દંડ ફટકાર્યો છે. દંડની રકમની જો વાત કરીએ તો BOIને 4 કરોડ અને PNBને 2 કરોડ ફાઇન ભરવા માટે કહેવામાં આવ્યુ છે.
BOIએ કર્યું નિયમોનું ઉલ્લંઘન
RBIએ જણાવ્યું કે, BOIએ 31માર્ચ 2019ના રોજ દર્શાવેલ નાણાકીય રીપોર્ટ યોગ્ય નથી, તેમાં હકીકતથી અલગ જ આંકડા દર્શાવવામાં આવ્યા છે. ISE અને FMRને લગતા અહેવાલની તપાસમાં બહાર આવ્યું કે, BOI દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. જેમ કે નિયત વ્યવહાર મર્યાદાનો ભંગ, DEA ફંડમાં દાવેદાર બેલેન્સના સ્થાનાંતરણમાં વિલંબ અને RBIને છેતરપિંડીની જાણ કરવામાં પણ વિલંબ કરવામાં આવ્યો છે.
PNBએ છેતરપિંડીની જાણ ન કરી
એક અલગ નિવેદનમાં RBIએ જણાવ્યું કે PNBના ISE 2018 અને 2019ને લગતા અહેવાલોની તપાસમાં નિયમોનું ઉલ્લંઘન થવાનું બહાર આવ્યું છે. જેમ કે RBIને ડેટા સબમિટ કરતી વખતે છેતરપિંડીની જાણ કરવામાં વિલંબ કરવો અને ડેટાની ચોકસાઈ અને અખંડિતતાની ખાતરી ન આપવી. RBIએ બંને બેંક પાસે વિલંબ કેમ થયો તેનું કારણ જણાવવા અપીલ કરી છે.
બેંકના ગ્રાહકો પર દંડની કોઈ અસર થશે નહી
જોકે, RBIએ જણાવ્યું કે બેંકના ગ્રાહકોને આ દંડની કોઈ અસર થશે નહી કારણકે ફટકારવામાં આવેલો દંડ એ ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈપણ વ્યવહાર અથવા કરારને લઈને નહી પરંતુ RBI દ્વારા સ્થાપિત કરવામાં નિયમોનું પાલન ન કરવાના કારણે લાદવામાં આવ્યો છે.