ભારતીય રિઝર્વ બેંકના નાણાકીય નીતિના નિર્ણયોની જાહેરાતમાં, RBI ગવર્નર શક્તિકાંત દાસે રેપો રેટને લઈને મોટી જાહેરાત કરી છે.
આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કરી જાહેરાત
રેપો રેટમાં કર્યો આટલો વધારો
નાણાકીય વર્ષ 2022-23માં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની છેલ્લી ક્રેડિટ પોલિસીના નિર્ણય વિશે આજે જાહેરાત થઈ ગઈ છે, જણાવી દઈએ કે આરબીઆઇના ગર્વનર શક્તિકાંત દાસે સવારે 10 વાગ્યાથી એમપીસીની બેઠકના નિર્ણયો વિશે જાણકારી આપવાની શરૂઆત કરી હતી જેમાં એમને રેપો રેટને લઈને પણ ઘોષણા કરી દીધી છે.
આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કરી જાહેરાત
આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં આવેલા ઉતાર-ચઢાવ અને ફુગાવાના આંકડા ભારતીય અર્થવ્યવસ્થાને પણ અસર કરી રહ્યા છે. એક તરફ ભારતીય અર્થવ્યવસ્થા ઝડપથી વધી રહી છે પરંતુ વૈશ્વિક પડકારો આપણી સામે છે અને તે મુજબ નિર્ણયો લેવા પડશે.
RBI Governor Shaktikanta Das announces that RBI increases the repo rate by 25 basis points to 6.5% pic.twitter.com/2ZyUSbCxEO
રેપો રેટમાં કર્યો આટલો વધારો
ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે આજે જાહેરાત કરી છે કે MPCએ રેપો રેટમાં 0.25 ટકાનો વધારો કર્યો છે. આ પછી દેશમાં રેપો રેટ વધીને 6.50 ટકા થઈ ગયો છે, જે પહેલા 6.25 ટકા હતો. MPCના 6માંથી 4 સભ્યોએ તેની તરફેણમાં મતદાન કર્યું હતું.
Monetary Policy Statement by Shri Shaktikanta Das, RBI Governor - February 08, 2023 https://t.co/KGPgzXbpWN
નિષ્ણાતો પહેલાથી જ રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટ્સ વધારવાની શક્યતા દર્શાવી રહ્યા હતા. નોંધપાત્ર રીતે, અગાઉ ડિસેમ્બર 2022 માં યોજાયેલી MPC બેઠકમાં, વ્યાજ દરો 5.90% થી વધારીને 6.25% કરવામાં આવ્યા હતા. RBIએ ગયા વર્ષથી રેપો રેટમાં છ વખત વધારો કર્યો છે, જેમાં કુલ 2.50%નો વધારો થયો છે.
MPCની બેઠકમાં સામેલ છમાંથી 4 સભ્યોએ રેપો રેટમાં વધારાને સમર્થન આપ્યું હતું. બેઠકમાં લેવાયેલા નિર્ણયોની જાહેરાત કરવા ઉપરાંત રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે પણ મોંઘવારી અંગે પોતાનો અંદાજ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે નાણાકીય વર્ષ 2024માં મોંઘવારી 4 ટકાથી વધુ હોઈ શકે છે અને નાણાકીય વર્ષ 2023-24માં વાસ્તવિક જીડીપી 6.4 ટકા થઈ શકે છે.
RBI દ્વારા નિર્ધારિત રેપો રેટ બેંકોની લોન પર સીધી અસર કરે છે. જો તેના દરો વધશે તો હોમ લોન, ઓટો લોન, પર્સનલ લોન જેવી લગભગ તમામ પ્રકારની લોન મોંઘી થઈ જશે. વાસ્તવમાં, રેપો રેટ એ દર છે જેના પર આરબીઆઈ બેંકોને ધિરાણ આપે છે, જ્યારે રિવર્સ રેપો રેટ એ દર છે કે જેના પર આરબીઆઈ નાણાં રાખવા માટે બેંકોને વ્યાજ આપે છે. રેપો રેટમાં ઘટાડો થવાને કારણે લોનની EMI ઘટે છે, જ્યારે રેપો રેટમાં વધારો થવાથી તમામ પ્રકારની લોન મોંઘી થાય છે અને આ ક્રમમાં EMIમાં પણ વધારો થાય છે.