જો તમે પણ જુની નોટો અને સિક્કાઓ વેચવા અથવા ખરીદવા માટે તૈયારી કરી રહ્યા છો તો સાવધાન થઈ જાઓ.
RBIએ આપી ચેતાવણી
જુના સિક્કા અને નોટો વેચતા હોવ તો થઈ જાઓ સાવધાન
જાણો શું કહ્યું RBIએ
પાછલા થોડા દિવસોથી જુના સિક્કા અને નોટો ખરીદી-વેચાણનું ચલણ ઝડપી થઈ ગયું છે. ઘણા ઓનલાઈન અને ઓફલાઈન પ્લેટફોર્મ દ્વારા જુની બેન્ક નોટ અને સિક્કા વેચવામાં આવી રહ્યા છે. પરંતુ તમને જણાવી દઈએ કે તેને લઈને RBIએ હાલમાં જ એક જરૂરી સુચના જાહેર કરી છે. RBIએ જણાવ્યું કે છેતરપિંડી કરનાર અમુક તત્વો ઓનલાઈન, ઓફલાઈન પ્લેટફોર્મ પર મુની બેન્ક નોટ અને સિક્કાઓના વેચાણ દ્વારા કેન્દ્રીય બેન્કના નામે લોકોનો ઉપયોગ કરી રહ્યા છે.
જો તમે પણ જુના સિક્કા અને નોટો વેચવા અથવા ખરીદવાની તૈયારીમાં છો તો પહેલા RBIની તરફથી આપવામાં આવેલી આ જાણકારી જરૂર વાંચી લો. ઓનલાઈન છેતરપિંડી કરનાર લોકો સતત ગ્રાહકોને ચુનો લગાવીની ફિરાકમાં હોય છે. માટે તે રોજ નવી નવી રીતો શોધે છે.
RBI cautions the public not to fall prey to fictitious offers of buying/ selling of Old Banknotes and Coinshttps://t.co/y0e9KfSb0G
RBI દ્વારા કરવામાં આવ્યું ટ્વીટ
રિઝર્વ બેન્કે પોતાના ઓફિશયલ ટ્વિટર હેન્ડલ પર ટ્વીટ કરીને કહ્યું છે કે ભારતીય રિઝર્વ બેન્કના સંજ્ઞાનમાં આ વાત સામે આવી છે કે અમુક તત્વો ખોટી રીતે ભારતીય બેન્કના નામે અને લોકોનો ઉપયોગ કરી રહ્યા છે અને વિવિધ ઓનલાઈન, ઓફલાઈન પ્લેટફોર્મ દ્વારા જુની બેન્ક નોટ અને સિક્કાઓને વેચવા માટે લોકો પાસેથી ફી, કમીશન અથવા ટેક્સ માંગી રહ્યા છે.
રિઝર્વ બેન્કે પોતાના નિવેદનમાં જણાવ્યું કે, "તે આ પ્રકારની કોઈ પણ ગતીવિધીઓમાં શામેલ નથી અને આ પ્રકારના ટ્રાન્ઝેક્શન માટે કોઈ પણ ફી અથવા કમીશન પણ નથી લેતા. સાથે જ બેન્કે જણાવ્યું કે તેણે કોઈ સંસ્થા અથવા વ્યક્તિને આ પ્રકારની ગતિવિધિઓ માટે કોઈ પ્રકારનો અધિકાર નથી આપ્યો."
RBIની કોઈ સાથે કોઈ ડીલ નથી
તમને જણાવી દઈએ કે RBI આ પ્રકારના મામલામાં ડીલ નથી કરતી અને ન ક્યારેય કોઈ પાસે આ પ્રકારની ફી અથવા કમીશન માંગવામાં આવે છે. બેન્કે જણાવ્યું કે, "ભારતીય રિઝર્વ બેન્કે કોઈ સંસ્થા, કંપની અથવા વ્યક્તિ વગેરેને આ પ્રકારના ટ્રાન્ઝેક્શન પર રિઝર્વ બેન્કની તરફથી શુલ્ક અથવા કમીશન માટે કોઈ ઓથોરિટી નથી આપી. ભારતીય રિઝર્વ બેન્ક સામાન્ય લોકોને આ પ્રકારે ફ્રોડથી બચવાની સલાહ આપી રહ્યું છે. "