RBIએ પૂરતી કેશ સુનિશ્ચિત કરવા માટે યસ બેંકને 60 હજાર કરોડ રૂપિયાની ક્રેડિટ લાઈન આપી છે. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે ખાતેદારોને પ્રતિ પોતાની જવાબદારીને પૂરા કરવામાં આ સુવિધાથી બેંકને મદદ મળશે.
YES બેંકને નાણાંકીય સંકટમાંથી મળશે મદદ
RBIએ આપી આ મોટી છૂટ
બેંકે જગન્નાથ મંદિરના પૈસા કર્યા પરત
સોમવારે RBIના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે, જરૂર પડે તો નાણાકીય મર્યાદા હટાવ્યા પછી નિયામક યસ બેન્કને વેગ આપવા તૈયાર છે. દાસે એમ પણ કહ્યું હતું કે, ભારતની બેંકોના ઇતિહાસમાં રોકાણકારોએ ક્યારેય પૈસા ગુમાવ્યા નથી. રોકાણકારોના પૈસા હજી પણ સંપૂર્ણ સલામત છે. RBI એક્ટ 1934ની કલમ 17 હેઠળ સેન્ટ્રલ બેન્ક લોન અને શેર, ભંડોળ અને સિક્યોરિટીઝના વચન આપીને કોઈપણ બેંકને એડવાન્સિસના સ્વરૂપમાં વેગ આપી શકે છે.
રોકાણકારોના રૂપિયા છે સુરક્ષિતઃ યસ બેંક
બેન્કિંગ સેવાઓ સંપૂર્ણ રીતે શરૂ થવાની સાથે જ યસ બેંકના પ્રશાસક પ્રશાંત કુમારે ગુરુવારે રોકાણકારોને તેમના રૂપિયા અંગે ભરોસો આપ્યો છે. તેઓએ કહ્યું કે બેંકની પાસે પૂરતી સંપત્તિ છે. બેંકિંગ સેવાઓ 18 માર્ચ સાંજે 6 વાગ્યાથી શરૂ કરવામાં આવી છે. બેંકને અન્ય કોઈ બાહ્ય સોર્સ પર નિર્ભર રહેવાની જરૂર નથી. બેંકની શાખાઓ 19 માર્ચથી એક કલાક પહેલાં ખોલી દેવામાં આવે છે.
યસ બેંકે જગન્નાથ મંદિરમાં પૈસા પરત કર્યા
સંકટમાં ફસાયેલી યસ બેંકે ગુરુવારે પુરી જગન્નાથ મંદિરમાં પૈસા પરત કર્યા. બેંકે કહ્યું કે તેણે ઓરિસ્સાના પુરી સ્થિત શ્રી જગન્નાથ મંદિર પ્રશાસનના એસબીઆઇ ખાતામાં 389 કરોડ રૂપિયાની એફડી ટ્રાન્સફર કરી છે. મંદિરને એફડી ખાતા પર 8.23 કરોડ રૂપિયાનું વ્યાજ પણ મળ્યું છે. બેંકે મંદિરના મુખ્ય પ્રશાસક કૃષ્ણ કુમારને પત્ર લખ્યો છે કે તેની પાસે 156 કરોડ રૂપિયાથી વધુની કિંમતના બે વધુ એફડી છે, જે તે આ મહિનાના અંતમાં ટ્રાન્સફર કરશે.