કોરોનાની વાયરસ મહાસંકટ વચ્ચે સંકટમાં ચાલી રહેલી અર્થવ્યવસ્થામાં પ્રાણ ફુંકવાને લઇને સરકાર પગલા ઉઠાવી શકે છે. જેને લઇને આરબીઆઇના ગર્વનરે પત્રકાર પરિષદ યોજીછે. જેમાં ગર્વનરે કહ્યું કે ભારતનો જીડીપી ગ્રોથ 1.9 ટકા રહેવાના અંદાજ અંગે વાત કહી છે. આરબીઆઇ ગર્વનરે રિવર્સ રેપોરેટમાં 0.25 પોઇન્ટનો ઘટાડો કર્યો છે.
કોરોનાની મહામારી વચ્ચે ભારત સહિત વિશ્વ મહામંદીમાં ધકેલાયું છે. ત્યારે ભારતના અર્થતંત્રની સ્થિતિ અંગે માહિતી આપવાં RBIના ગવર્નર શક્તિકાંત દાસે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં તેઓ ભારતના અર્થતંત્રની આગળની સ્થિતિ અને હાલની સ્થિતિ વિશે ચર્ચા કરી હતી. તેઓ જણાવ્યું કે ભારતના GDPનો ગ્રોથ રેટ આવનાર વર્ષમાં 1.9 ટકા જેટલો રહી શકે છે.
આ સાથે તેઓએ ઉમેર્યું કે વિશ્વ મહામંદીમાં ધકેલાયું છે ત્યારે G 20 દેશોની સરખામણીએ ભારતની અર્થવ્યવસ્થા ખુબ જ સારી છે. વિશ્વ માર્કેટ મોટું નામ ધરાવતાં જાપાન અને જર્મની બંનેની સંયુરક્ત અર્થવ્યવસ્થા કરતાં પણ ભારતની અર્થવ્યવસ્થાની સ્થિતિ ખુબ સારી છે. દેશની નાણાકીય સ્થિતિ અગાઉ કરતાં થોડી બગડી છે પરંતુ હાલ વિશ્વ સામે ટકી શકીશું.
It has been decided to reduce the fixed reverse repo rate under liquidity adjustment facility (LAF) by 25 basis points from 4% to 3.75%, with immediate effect: RBI Governor Shaktikanta Das pic.twitter.com/oKxl5062Y1