આર્થિક ગતિવિધિઓમાં તેજી હોવા છતા મોંઘવારીનો ઊંચો દર અર્થવ્યવસ્થા માટે સૌથી મોટી ચિંતા છે. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું, વધતી મોંઘવારીને કાબુમાં લાવવા માટે આ મહિનાની શરૂઆતમાં રેપો રેટ 0.50 ટકા વધારવાના પક્ષમાં મતદાન કરવામાં આવ્યું હતુ.
આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસનુ નિવેદન
મોંઘવારીનો ઊંચો દર અર્થવ્યવસ્થા માટે સૌથી મોટી ચિંતા
હું રેપો રેટ વધારવાના પક્ષમાં મતદાન કરીશ
'બેંક માટે પ્રાથમિક લક્ષ્ય મોંઘવારીને કાબુમાં રાખવાનુ છે'
કેન્દ્રીય બેંક તરફથી બુધવારે જાહેર મૌદ્રિક નીતિ સમિતિની બેઠકની વિગતમાં ગવર્નરે કહ્યું કે રેપો રેટમાં વૃદ્ધી મૂલ્ય સ્થિરતા પ્રત્યે આરબીઆઈની પ્રતિબદ્ધતાને મજબૂત કરશે. કેન્દ્રીય બેંક માટે પ્રાથમિક લક્ષ્ય મોંઘવારીને કાબુમાં રાખવાનુ છે. આ મધ્યમ સમયગાળામાં સતત વધારા માટે એક પૂર્વ શરત છે. દાસની આગેવાનીવાળી 6 સભ્યની એમપીસીએ સહમતિથી 8 જૂનના રેપો રેટમાં બીજી વખત વધારો કરીને તેને 4.9 ટકા કરી દીધા હતા.
રેપો રેટમાં ફરીથી થઇ શકે છે વધારો
ગવર્નરે કહ્યું કે મોંઘવારીથી પ્રભાવી રીતે લડવા માટે અત્યારે નીતિગત દરમાં વધુ એક વધારા માટે તૈયાર છે. તેથી હું રેપોરેટમાં એક વખત ફરીથી 0.50 ટકા વધારાના પક્ષમાં મતદાન કરીશ. જેનાથી ઉચ્ચ મોંઘવારી પર કાબુ મેળવવામાં મદદ મળશે. આ સાથે આ પ્રતિકૂળ પુરવઠા સંબંધી સમસ્યાઓના પ્રભાવને ઘટાડવામાં મદદગાર થશે.
વિદેશી મુદ્રા ભંડારમાં 30 અબજ ડૉલર વધારો
દેશનો વિદેશી મુદ્રા ભંડાર 2021-22માં 30.3 અબજ ડૉલર વધી ગયો છે. 2020-21 દરમ્યાન તેમાં 99.2 અબજ ડૉલરનો વધારો કરવામાં આવ્યો હતો. આરબીઆઈએ બુધવારે કહ્યું કે આ દરમ્યાન વિદેશી વિનિમય રિઝર્વ 47.5 અબજ ડૉલર વધી ગયુ.