કોરોના સંકટને ધ્યાનમાં રાખીને મોદી સરકારે 20 લાખ કરોડના આર્થિક પેકેજની જાહેરાત કરી. નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા આ પેકેજની વિગતો દેશની સામે રાખવામાં આવી છે. હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ના ગવર્નર શક્તિકાંત દાસે રેપો રેટ ઘટાડવાની જાહેરાત કરી છે. આ કપાત બાદ આરબીઆઈનો રેપો રેટ 4.4 ટકાથી ઘટીને 4 ટકા થયો છે. આ સાથે લોનના હપ્તા પર 3 મહિનાની વધારાની છૂટ આપવામાં આવી છે. મતલબ કે જો તમે આગામી ઓગસ્ટ મહિના સુધી તમારી લોનની ઇએમઆઈ નહીં આપો, તો બેંક દબાણ નહીં કરે.
RBIનો મહત્વનો નિર્ણય
EMIને લઈને આપી આ મોટી રાહત
ઓગસ્ટ મહિના સુધી લોનમાં આપવામાં આવી છૂટ
Three-month moratorium we allowed on term loans&working capitals we allowed certain relaxations. In view of the extension of the lockdown&continuing disruption on account of #COVID19, these measures are being further extended by another 3 months from June 1 to Aug 31: RBI Guv pic.twitter.com/YKulKb9bD0
MPC દ્વારા રેપો રેટમાં ઘટાડાનો નિર્ણય લેવાયો છે. EMIમાં પણ રાહત આપવામાં આવશે એમ જણાવાયું છે. રેપોરેટમાં 40 બેસિસ પોઇન્ટનો ઘટાડો, 4.4 ટકાથી ઘટીને રેપોરેટ 4 ટકા થયો છે. રિવર્સ રેપો રેટમાં કોઇ ફેરફાર નહીં, બેંકોને ઓછા વ્યાજે લોન આપવામાં આવશે. માર્ચ મહિનામાં આયાતમાં ઘટાડો થયો હોવાની અસર પણ અર્થવ્યવસ્થા પર જોવા મળી છે. લૉકડાઉનમાં આ બીજી વખત RBIએ રેપો રેટ પર કાતર ચલાવી છે. અગાઉ 27 માર્ચે રેપોરેટમાં 0.75નો ઘટાડો કર્યો હતો.
GDP ગ્રોથ નેગેટીવ રહેશેઃ RBI
લૉકડાઉનને કારણે આર્થિક ગતિવિધીમાં ઘટાડો થયો છે. 6 મોટા ઔદ્યોગિક રાજ્યોમાં વધારે રેડ ઝોન જોવા મળી રહ્યા છે. સરકારની આવક ઉપર અસર પડી છે, મોંઘવારી દર કાબુમાં રહેવાની આશા છે. માંગમાં ઘટાડો થવાના કારણે મોટી અસર જોવા મળી રહી છે. સર્વિસ સેક્ટરમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે જીડીપી અંગે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે નાણાકીય વર્ષ 2020-21માં નકારાત્મક પ્રદેશમાં વૃદ્ધિ થઈ શકે છે. તેમણે કહ્યું કે સૌથી મોટો આંચકો ખાનગી કન્ઝપ્શનને થયો છે. માર્ચ 2020 માં કન્ઝ્યુમર ડ્યુરેબલ્સના ઉત્પાદનમાં 33% ઘટાડો થયો હતો. વેપારી નિકાસ 30 વર્ષમાં સૌથી ખરાબ સ્તરે પહોંચી છે.