રિઝર્વ બેંકની મૌદ્રિક નીતિ સમીક્ષા બેઠકનું પરિણામ આવી ચૂક્યું છે. 3 દિવસ સુધી ચાલનારી બેટમાં રેપોને લઈને કોઈ નિર્ણય લેવાયો નથી. રેપો રેટમાં કોઈ પરિવર્તન નહીં આવે મતલબ કે તમને ઈએમઆઈ અથવા લોન વ્યાજના દરો પર કોઈ નવી રાહત નહીં મળે.
રેપો રેટમાં 4 ટકા યથાવત રાખવાનો નિર્ણય લેવાયો છે
રિવર્સ રેપો રેટ પણ 3.35 ટકા પર સ્થિર છે
ઈએમઆઈ અથવા લોન વ્યાજના દરો પર કોઈ નવી રાહત નહીં મળે
રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે બેઠકના પરિણામની જાણકારી આપતા કહ્યું કે રેપો રેટમાં 4 ટકા યથાવત રાખવાનો નિર્ણય લેવાયો છે. ત્યારે રિવર્સ રેપો રેટ પણ 3.35 ટકા પર સ્થિર છે.
જોકે આરબીઆઈ ગવર્નરે લોન મોરેટોરિયમને લઈને કોઈ વાત કરી નથી. ઉલ્લેખનીય છે કે 31 ઓગસ્ટ લોન મોરેટોરિયમનો સમય પુરો થઈ રહ્યો છે. ત્યારે આશા સેવાઈ રહી હતી કે આરબીઆઈ ગવર્નર આ મુદ્દાને લઈને કોઈ મોટુ એલાન કરી શકે છે. જોકે બેંકો તરફથી સતત આને આગળ ન વધારવા અપીલ કરવામાં આવી હતી.
તેમણે કહ્યું કે ગ્લોબલ ઈકોનોમી નબળી છે જો કે વિદેશી મુદ્રા ભંડારમાં વધારાનો સિલસિલો ચાલુ છે.
વધુમાં તેમણે કહ્યું કે રિટેલ મોંઘવારી દર નિયંત્રણમાં છે તેમના મતે બીજા સત્રના 6 મહિનામાં મોઘવારીનો દર ઓછો થઈ શકે છે.
દાસના મતે દેશની અર્થવ્યવસ્થા પાટા પર ચઢી રહી છે. સારી બાબત એ છે કે ગ્રામીણ ઈકોનોમીમાં રિકવરી છે. દાસે ફરી એકવાર કહ્યું કે નાણાકીય વર્ષ 2020-21માં જીડીપી ગ્રોથ રેટ નેગેટિવ રહેશે. આ દરમિયાન શેર બજારમાં તેજી યથાવત ચે. 12 વાગ્યા બાદ સેન્સેક્સ 200 અંક મજબૂત અને નિફ્ટી 11,150 અંક આગળ વ્યવસાય ચાલુ રહ્યો હતો.
ઉલ્લેખનીય છે કે રિઝર્વ બેંકના મૌદ્રિક નીતિ સમીક્ષાની આ ત્રીજી બેઠક હતી. આ પહેલા કોરોનાને લીધે 2 વાર બેઠક યોજાયી ચૂકી છે. એસબીઆઈએ એક શોધ રિપોર્ટ મુજબ બેંકોના નવા વ્યાજ દરમાં કાપ મુક્યો છે.