રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (Reserve Bank Of India) એ ફેબ્રુઆરીમાં નાણાકીય સમીક્ષા બેઠકમાં રેપો રેટ ઘટાડા કર્યો નથી પરંતુ કેન્દ્રીય બેન્કના ગવર્નર શક્તિકાંત દાસએ સ્થિતિમાં આગળ સુધારાના સંકેત આપ્યા. આ સાથે જ આરબીઆઇ ગવર્નરે મૉનિટરિંગ પોલિસી ફ્રેમવર્કમાં બદલાવની વાત કરી.
સતત બીજીવાર RBIએ રેપો રેટમાં કોઇ બદલાવ નથી કર્યો
મૉનિટરિંગ પોલિસી ફ્રેમવર્ક (MPF) ગત ત્રણ વર્ષથી કામ કરી રહ્યું છે
RBIના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે રેપો રેટ ઘટાડાની ઝડપમાં ઘણો સુધાર થયો છે
શક્તિકાંત દાસ (Shaktikanta Das)એ જણાવ્યું કે મૉનિટરિંગ પોલિસી ફ્રેમવર્ક (MPF) ગત ત્રણ વર્ષથી કામ કરી રહ્યું છે. જોકે, કેન્દ્રીય બેક આંતરિક રીતે એ વાતનું વિશ્લેષણ કરી રહ્યું છે કે એમપીએફ કેટલું અસરકારક રહ્યું છે. આ વિશે જરૂર પડવા પર કેન્દ્રીય બેન્ક સરકાર સાથે વાતચીત કરશે.
મૉનિટરિંગ પોલિસી ફ્રેમવર્ક (MPF) હેઠળ આરબીઆઇ દર બે મહીને દેશની ઇકોનોમી (Economy)ને લઇને ચર્ચા કરે છે. આ બેઠક 3 દિવસો સુધી ચાલે છે અને તેની અધ્યક્ષતા કેન્દ્રીય બેન્કના ગવર્નર કરે છે. આ બેઠકમાં રેપો રેટ ઘટાડાને લઇને નિર્ણય લેવામાં આવે છે.
રેપો રેટ ઘટાડાની હજુ પણ આશા
કેન્દ્રીય બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે રેપો રેટ ઘટાડાની ઝડપમાં ઘણો સુધાર થયો છે. આશા છે કે આગળ ઘટાડાની ઝડપ તેજ હશે. રિઝર્વ બેન્કના ગવર્નરે આ વાત નાણામંત્રી નિર્મલા સીતારમણ અને આરબીઆઇ સેન્ટ્રલ બોર્ડના ડાયરેક્ટર્સની બેઠક બાદ કહી.
મોંઘવારી અને રાજકોષિય ખાધના અનુમાન સંશોધનને કારણે આરબીઆઇ (RBI) એ આ વખતે રેપો રેટ સ્થિર રાખ્યો છે. આ સતત બીજીવાર છે કે જ્યારે આરબીઆઇએ રેપો રેટમાં કોઇ બદલાવ નથી કર્યો. હાલ, રેપો રેટ 5.15 ટકા પર છે.
શું છે રેપો રેટ ?
કેન્દ્રીય બેન્ક આરબીઆઇ રેપો રેટના આધારે બેન્કોને લોન આપે છે. રેપો રેટ જેટલુ ઓછુ હોય છે, બેન્કો માટે એટલુ જ ફાયદાકારક હોય છે. રેપો રેટમાં ઘટાડો થયા બાદ બેન્કો પર વ્યાજ દર ઓછો કરવાનું પ્રેશર રહે છે. વ્યાજ દર ઓછો હોવાનો અર્થ છે કે આપની ઇએમઆઇ અને લોન સસ્તી બની જશે. આરબીઆઇ (RBI) દર બે મહીને યોજાતી નાણાકીય નીતિની બેઠકમાં રેપો રેટની સમીક્ષા કરે છે.