રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનો અંદાજો છે કે કોરોના વાયરસની ખરાબ અસર ભારતીય અર્થતંત્ર પર પડી શકે છે. RBI ગવર્નર શક્તિકાંત દાસે ગરુવારે કોરોનાને કારણે અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચવાની શંકા વ્યક્ત કરતા સલાહ આપી છે તેનો સામનો કરવા એક પ્લાનિંગ કરવાની જરુર છે.
3000 કરોડ રુપિયાનું મરચુ ચીન જાય છે
લાલ મરચાની નિકાસ પર અસર
મરચુ બજાર ભાવથી નીચે વેચાઈ રહ્યું છે
પ્રવાસ અને વૈશ્વિક વ્યાપાર પર તેની અસર પડી છે
છઠ્ઠી દ્વિમાસિક નાણાકીય નીતિ સ્ટેટમેન્ટ 2019-20 જાહેર કરતી વખતે દાસે કહ્યું કે, જોકે કોરોનાની અસર કેટલી ઉંડી છે તે અત્યારે કહેવું અનિશ્ચિત છે. તેમજ તેનાં બીજી પાસા ખુલવાનાં બાકી છે. આ દરમિયાન RBIએ એક નિવેદનમાં કહ્યું કે, ‘ચીન અને બીજા દેશો પર કોરોનાની અસર થવાથી પ્રવાસ અને વૈશ્વિક વ્યાપાર પર તેની અસર પડી છે. તેમજ કાચા તેલના બજાર પર પણ તેની અસર જોવા મળી છે. ’ વધુમાં તેમા કહેવામાં આવ્યું હતું કે કોરોના વાયરસનાં કારણે જાન્યુઆરી પુરો થતા થતાં તો કાચા તેલના ભાવ નીચે આવી ગયા હતા. જ્યારે કે સોનાના ભાવમાં વધારો થયો હતો. ’
કોરોના વાયરસ આર્થિક ગતિવિધિઓ પર અસર કરી શકે છે
ઘરેલુ વસ્તુઓ પર RBIનો અંદાજો છે કે ખાનગી ખપત, વૈશ્વિક વ્યાપાર પ્રતિબંધો નબળા પડવા અને બજેટમાં ઉઠાવવામાં આવેલા પગલાને લીધે GDPમાં તેજી આવી શકે છે. જ્યારે કે કોરોના વાયરસ આર્થિક ગતિવિધિઓ પર અસર કરી શકે છે.
લાલ મરચાની નિકાસ પર અસર , 3000 કરોડ રુપિયાનું મરચુ ચીન જાય છે
કોરોના વાયરસના કારણે ચીનમાં થતી મરચાની નિકાસ પર અસર પડી છે. આંધ્ર પ્રદેશ અને તેલંગાણાનું મરચુ બજાર ભાવથી નીચે વેચાઈ રહ્યું છે. જેના કારણે ખેડુતોને ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે.
રચાના ખેડુતોને ભારે નુકસાન ભોગવવું પડે છે
રાજ્યસભાનાં શૂન્યકાળમાં કોંગ્રેસનાં નેતા કેવીપી રામચંદ્રન રાવે કહ્યું કે દેશ 5 હજાર કરોડ રુ.ની તેજ ક્વોલિટીનાં મરચાની નિકાસ કરે છે અને તેનો 60 ટકા ભાગ ચીનમાં જાય છે. મોટાભાગની નિકાસ આ બે રાજ્યોમાંથી થાય છે. અહીંના મરચાના ખેડુતોને ભારે નુકસાન ભોગવવું પડે છે. તેમણે કેન્દ્ર સરકારને કહ્યું કે આ ખેડૂતોને મદદ કરવી જોઈએ.